B INDIA કચ્છ : કચ્છનાં રાપર નજીક મોડી રાત્રીએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 3.1 નોંધાઇ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 7 કિલોમીટર દુર હોવાનું સામે આવ્યું છે. જો કે, ઓછી તીવ્રતાવાળા આંચકાને કારણે કોઇ નુકસાન થવા પામ્યું ન હતું, પરંતુ લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. ભૂકંપ એક એવી ખતરનાક પરિસ્થિતિમાં અમુક કામ કરવાથી મુશ્કેલી વધી શકે છે.
-> ભૂકંપ દરમિયાન આ બાબતનું ધ્યાન રાખવું :- ભૂકંપ દરમિયાન ક્યારે પર ઘરના દરવાજા, બારીની નજીક ન ઊભું રહેવું જોઈએ. કાચની બારી છે તો તેનાથી દૂર રહેવું કારણ કે આનું તૂટવાનું જોખમ વધારે રહે છે. ભૂકંપના ઝટકા જ્યારે બંધ થઈ જાય તો તરત બારી અને દરવાજા ન ખોલવાની સલાહ આપવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે ઘણી વાર ઝટકાના કારણે આને ક્રેક થવાનું જોખમ વધી જાય છે, જેથી તેમે ઇજાગ્રસ્ત થઇ શકો છો.
ભૂકંપ દરમિયાન કોઈ ઇલેક્ટ્રિક સામાનને ન ચલાવવો, સ્વિચ બોર્ડથી દૂર રહેવું. આ દરમિયાન માત્ર ફર્નિચર, ટેબલની નીચે બેસી જવું, જેનાથી ભાંગતૂટ થવા પર તમારે નુકસાન ઓછી થાય. ભૂકંપ દરમિયાન સામાન્ય રીતે ઘરેથી બહાર નીકળીને કોઈ ખાલી જગ્યા પર જવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ જો તમે એક ઊંચી બિલ્ડિંગમાં રહો છો તો ક્યારેય લિફ્ટનો ઉપયોગ કરીને ઘરથી નીકળવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.







