ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સામે ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી , જાણો શું છે મામલો

ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની મોટી મુશ્કેલીમાં મુકાયા છે. તેમની સામે ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી છે. વાસ્તવમાં, પીએમ જ્યોર્જિયા મેલોની પર ઇટલીમાં ધરપકડ કરાયેલા લિબિયન પોલીસ અધિકારીને મુક્ત કરવાનો આરોપ છે. તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલત (ICC) ના ધરપકડ વોરંટ બાદ લિબિયન પોલીસ અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આ આરોપ બાદ ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોની રાજીનામું આપશે કે નહીં તે તો સમય જ કહેશે. દરમિયાન, પીએમ મેલોનીએ મંગળવારે જણાવ્યું હતું કે તેમને ન્યાયિક તપાસ હેઠળ મૂકવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ રાજીનામું આપવાની કોઈ જવાબદારી હેઠળ નથી અને ઇટલીમાં તપાસનો સામનો કરવો એ ગુનાનો પુરાવો નથી અને કોઈ ઔપચારિક આરોપો લાગુ થશે નહીં.

-> પીએમ મેલોની સામે ન્યાયિક તપાસ કેમ હાથ ધરવામાં આવી રહી છે? :- હકીકતમાં, લિબિયન પોલીસ અધિકારી, ઓસામા એલ્મસરી નજીમને ગયા અઠવાડિયે જ મુક્ત કરવામાં આવ્યા હતા અને ઇટાલિયન સરકારી વિમાનમાં ઘરે મોકલવામાં આવ્યા હતા. આ ઘટના ઇટલીના શહેર તુરિનમાં તેની ધરપકડના થોડા દિવસો પછી બની હતી. આ પછી, ICC એ આ નિર્ણય પર સ્પષ્ટતા માંગી અને કહ્યું કે તેમને આ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

-> પીએમ જ્યોર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી :- ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમના ફેસબુક પ્રોફાઇલ પરથી એક વીડિયો પોસ્ટ શેર કરી છે. આ વિડીયો પોસ્ટમાં, મેલોનીએ કહ્યું કે તેમને ગુનામાં મદદ કરવા અને જાહેર ભંડોળના દુરુપયોગના આરોપસર ન્યાયિક તપાસ હેઠળ મૂકવામાં આવ્યા છે. પરંતુ તેમના માટે રાજીનામું આપવાની કોઈ જવાબદારી નથી, અને ઇટાલીમાં તપાસ હેઠળ હોવાનો અર્થ એ નથી કે હું દોષિત છું અને તેનો અર્થ એ નથી કે મને ઔપચારિક આરોપોનો સામનો કરવો પડશે. તેણીએ કહ્યું, “હું ડરવાની નથી. કદાચ એટલા માટે જ મને એવા લોકો પસંદ નથી કરતા જેઓ ઇટલી બદલાય અને વધુ સારું બને તેવું ઇચ્છતા નથી.” તેમણે ઉમેર્યું: “મને વિશ્વાસ છે કે આ ન્યાયિક તપાસ વકીલ લુઇગી લી ગોટી દ્વારા શરૂ કરવામાં આવી છે, જેમણે ગયા અઠવાડિયે નજીમની મુક્તિ અને તેમને ત્રિપોલી પાછા મોકલવા માટે સરકારી વિમાનના ઉપયોગ સામે ફરિયાદ નોંધાવી હતી.

Related Posts

દ કેરલા સ્ટોરી- 2 નો મ્યુઝિકલ સરપ્રાઇઝ – દુર્ગા પૂજાની એક જ રાતમાં તૈયાર થયું ‘ઘૂમરગીત ’

ફિલ્મ  The Kerala Story -2 ના લોકપ્રિય બનતા ગીત ‘ઘૂમર’  પાછળનો અવાજ એટલે ગીતકાર  સાહિલ સુલતાનપુરી. આ દિવસોમાં તેઓ પોતાના સર્જન અને ફિલ્મને લઈને થયેલા વિવાદો વચ્ચે ચર્ચાના કેન્દ્રમાં છે.…

ગુજરાતમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: LPG બફર સ્ટોકમાં વધારો અને PNG ને પ્રાથમિકતા

ગાંધીનગર: રાજ્યમાં ઈંધણના પુરવઠાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સરકાર દ્વારા મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત આયોજિત પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ઘરેલુ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *