આણંદમાં રોગચાળાએ માથું ઉંચક્યું, કમળાનાં વધુ 8 કેસ નોંધાયા, કુલ આંક 100ને પાર

આણંદમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. ધર્મજ ગામમાં કમળાનો કહેર જોવા મળ્યો છે. ધર્મજમાં છેલ્લા ઘણા સમયથી લોકો બીમાર પડી રહ્યા હતા. જેમાં રબારીવાસ અને નવાપુરામાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ માત્રામાં જોવા મળ્યું હતું.

ગઇ કાલે વધુ 8 દર્દીઓને કમળો નોંધાયો હતો. જેના કારણે કેસની સંખ્યા 113 એ પહોંચી હતી. ત્યારે હાલ 8 માંથી 4 દર્દીને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. કમળાના કારણે ગામના લોકોની મુશ્કેલી વધી હતી.

તો બીજી તરફ પાણીન સેમ્પલમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ માત્રમાં જોવા મળતા બંને વિસ્તારોના પાણીને બિન પીવાલાયક જાહેર કરવામાં આવ્યું હતું. વધતા જતા કમળાના કેસને લઇ કલેકટરના માર્ગદર્શન હેઠળ 19 ટીમો ગામમાં કાર્યરત કરવામાં આવી છે. જોકે ધર્મજ ગામને આરોગ્ય વિભાગે કમળાગ્રસ્ત જાહેર કર્યું છે.

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *