આણંદમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. ધર્મજ ગામમાં કમળાનો કહેર જોવા મળ્યો છે. ધર્મજમાં છેલ્લા ઘણા સમયથી લોકો બીમાર પડી રહ્યા હતા. જેમાં રબારીવાસ અને નવાપુરામાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ માત્રામાં જોવા મળ્યું હતું.
ગઇ કાલે વધુ 8 દર્દીઓને કમળો નોંધાયો હતો. જેના કારણે કેસની સંખ્યા 113 એ પહોંચી હતી. ત્યારે હાલ 8 માંથી 4 દર્દીને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. કમળાના કારણે ગામના લોકોની મુશ્કેલી વધી હતી.
તો બીજી તરફ પાણીન સેમ્પલમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ માત્રમાં જોવા મળતા બંને વિસ્તારોના પાણીને બિન પીવાલાયક જાહેર કરવામાં આવ્યું હતું. વધતા જતા કમળાના કેસને લઇ કલેકટરના માર્ગદર્શન હેઠળ 19 ટીમો ગામમાં કાર્યરત કરવામાં આવી છે. જોકે ધર્મજ ગામને આરોગ્ય વિભાગે કમળાગ્રસ્ત જાહેર કર્યું છે.







