અયોધ્યા: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠની ઉજવણી બોડેલીમાં પાટોત્સવ તરીકે ઉજવવામાં આવી

પોષ સુદ બારસના રોજ, રામ લલ્લાના અયોધ્યામાં તેમના ઘરે પાછા ફરવાની એક વર્ષની વર્ષગાંઠ, બોડેલી શહેરના રામ ભક્તો દ્વારા બોડેલીના અલીપુરા ચાર રોડ પર સ્થિત રામ ચોક ખાતે પાટોત્સવ તરીકે ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી. રામ ચોક ખાતે આવેલા રામ મંદિરને સુંદર રીતે ફૂલોની સજાવટથી શણગારવામાં આવ્યું હતું, જ્યારે આસપાસના ધાર્મિક લોકો, વિવિધ ભજન મંડળો, હિન્દુ સંગઠનો અને બોડેલીના ભાવિ ભક્તો આ પ્રસંગે રામ ચોક ખાતે એકઠા થયા હતા.

 

 

સાંજે ૭:૩૦ વાગ્યે, ભગવાન શ્રી રામની સામૂહિક આરતી પછી, હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું અને ત્યારબાદ બોડેલીના સોની ભજન મંડળ દ્વારા ભજનો રજૂ કરવામાં આવ્યા અને આ રામ મંદિરનો પ્રથમ વર્ષનો પાટોત્સવ બોડેલીના સોની ભજન મંડળ દ્વારા ઉજવવામાં આવ્યો.

Related Posts

ગુજરાત સરકારમાં વહીવટી ફેરફાર: રૂપવંત સિંઘ બન્યા મુખ્ય રાજ્ય કર કમિશનર, આલોક કુમાર પાંડેને આદિજાતિ વિકાસ કમિશનરની જવાબદારી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બે વરિષ્ઠ IAS અધિકારીઓની મહત્વપૂર્ણ બદલી કરવામાં આવી છે. વહીવટી તંત્રમાં કરવામાં આવેલા આ ફેરફારો અંતર્ગત રૂપવંત સિંઘ અને આલોક કુમાર પાંડેને નવી જવાબદારીઓ સોંપવામાં આવી…

કચ્છમાં રેલ વિકાસને નવી ગતિ: ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને મંજૂરી

કચ્છમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રેલવેએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના આદિપુર-ભુજ રેલવે સેક્શનના 49 કિલોમીટર લાંબા ડબલિંગ (બેવડી લાઇન) પ્રોજેક્ટને ₹493 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *