અમદાવાદ: આજથી ફ્લાવર શો જનતા માટે ખુલ્લો મુકાશે, જાણો ફલાવર શો 2025માં શુ છે ખાસ….

અમદાવાદમાં આજથી ફ્લાવર શોની શરૂઆત થવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ફ્લાવર શોને શુભારંભ કરાશે. આ દરમિયાન અમદાવાદના મેયર પ્રતિભા જૈન પણ હાજર રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર આ ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર આ ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી ચાલશે. આ વખતે ભારતનાં વિકાસની થીમ પર ફૂલોમાંથી અલગ-અલગ સ્કલ્પચર તૈયાર કરાયાં છે. ફ્લાવર શોમાં ખાસ કરીને સોવિનિયર શોપ નું આયોજન કરવામાં આવેલ છે જે અમદાવાદના અનેક આકર્ષણ, રિવરફ્રન્ટ, અમદાવાદનું હેરિટેજ પણ લોકોનુ આર્કષણનુ કેન્દ્ર બનશે.

 

Ahmedabad Flower Show 2025: Date, VIP Tickets, General Tickets, Timings and Attractions - Nativeplanet

  • આજથી ફ્લાવર શો જનતા માટે ખુલ્લો મુકાશે
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે શુભારંભ
  • ભારતનાં વિકાસની થીમ પર અલગ-અલગ સ્કલ્પચર તૈયાર કરાયાં
  • સમય: સવારે 9:00 થી રાત્રે 11:00
  • સ્થળઃ ફલાવર ગાર્ડન અને ઇવેન્ટ સેન્ટર, ટાગોર હૉલ પાછળ, સાબરમતી રિવરફ્રન્ટ, પાલડી, અમદાવાદ.

2025 Flower Show Tickets

–>વધુ માહિતી માટે સ્કલ્પચર પર આપેલ QR કોડ પરથી મળશે<–

Flower Show 2025 to kick off from today

દરેક સ્કલ્પચર પર QR કોડ હશે જેને સ્કેન કરવાથી સ્કલ્પચર અંગે માહિતી મળશે. ફીની વાત કરીએ તો સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ. 70 પ્રવેશ ફી લેવાશે, જ્યારે શનિવાર અને રવિવારે રૂ.100 પ્રવેશ ફી લેવામાં આવશે. એટલુ જ નહીં સ્પેશિયલ કેસમાં ફ્લાવર શો નિહાળવાની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે મ્યુનિસિપલ શાળાના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.

Flower Show Ahmedabad 2025: અમદાવાદ ફ્લાવર શોની ટિકીટ, ટાઇમ, લોકેશન જેવી તમામ માહિતી અહિં મેળવો - Flower Show Ahmedabad 2025: Dates, Timings, Venue, Ticket Price, Photos, and How To Reach

–>ટિકિટનું બુકિંગ સિવિક સેન્ટર (Civic Center)પરથી પણ કરી શકાશે<–

રૂ. 500 ફી આપીને ખાસ લાઈનમાં પ્રવેશ આપવામાં આવશે. ટિકિટનું બુકિંગ સિવિક સેન્ટર (Civic Center) પરથી પણ ઓનલાઇન કરી શકાશે. નોંધનીય છે કે, વર્ષ 2013 થી અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2024 ના ફ્લાવર શોમાં અંદાજિત 20 લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. તેમજ 400 મીટર લાંબી ફ્લાવર વોલ થકી ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું.

Related Posts

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *