
- આજથી ફ્લાવર શો જનતા માટે ખુલ્લો મુકાશે
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે શુભારંભ
- ભારતનાં વિકાસની થીમ પર અલગ-અલગ સ્કલ્પચર તૈયાર કરાયાં
- સમય: સવારે 9:00 થી રાત્રે 11:00
- સ્થળઃ ફલાવર ગાર્ડન અને ઇવેન્ટ સેન્ટર, ટાગોર હૉલ પાછળ, સાબરમતી રિવરફ્રન્ટ, પાલડી, અમદાવાદ.

–>વધુ માહિતી માટે સ્કલ્પચર પર આપેલ QR કોડ પરથી મળશે<–

દરેક સ્કલ્પચર પર QR કોડ હશે જેને સ્કેન કરવાથી સ્કલ્પચર અંગે માહિતી મળશે. ફીની વાત કરીએ તો સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ. 70 પ્રવેશ ફી લેવાશે, જ્યારે શનિવાર અને રવિવારે રૂ.100 પ્રવેશ ફી લેવામાં આવશે. એટલુ જ નહીં સ્પેશિયલ કેસમાં ફ્લાવર શો નિહાળવાની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે મ્યુનિસિપલ શાળાના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.
![]()
–>ટિકિટનું બુકિંગ સિવિક સેન્ટર (Civic Center)પરથી પણ કરી શકાશે<–
રૂ. 500 ફી આપીને ખાસ લાઈનમાં પ્રવેશ આપવામાં આવશે. ટિકિટનું બુકિંગ સિવિક સેન્ટર (Civic Center) પરથી પણ ઓનલાઇન કરી શકાશે. નોંધનીય છે કે, વર્ષ 2013 થી અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2024 ના ફ્લાવર શોમાં અંદાજિત 20 લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. તેમજ 400 મીટર લાંબી ફ્લાવર વોલ થકી ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું.






