અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

B india અમદાવાદ :- ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્વ છે. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. ત્યારે અમદાવાદમાં આજે 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’નો CMનાં હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના 11 રાજયોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. ગુજરાતમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લેશે.

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ - 2025નો પ્રારંભ, 47 દેશોમાંથી 143  અને ભારતના 52 પતંગબાજોએ ભાગ લીધો

અમદાવાદમાં દર વર્ષે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું આયોજન કરવામાં આવે છે. લોકસંસ્કૃતિ, કલા કારીગરી અને પ્રવાસન ક્ષેત્રની પ્રસિદ્ધિના ભાગરૂપે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ અગત્યની ભૂમિકા ભજવે છે. શરૂઆતના વર્ષોમાં ફક્ત અમદાવાદ શહેર ખાતે યોજાતો આ પતંગ મહોત્સવ હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ આયોજિત કરવામાં આવે છે.આ ઉદઘાટન પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદના પાઠ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડ પણ આયોજિત કરવામાં આવી છે.

અમદાવાદમાં International Kite Festival-2025 નો શાનદાર પ્રારંભ કરાવતા  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ - SATYA DAY

આ ઉપરાંત નાઈટ કાઈટ ફાઇલિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, પતંગ વર્કશોપ, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, રિફ્રેશમેન્ટ સ્ટોલ પણ મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ના આયોજન થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળો પ્રમોટ થાય છે, જેના થકી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. દેશ વિદેશમાંથી ગુજરાત આવતા પતંગબાજો અને તેમની અવનવા આકારોવાળી રંગબેરંગી પતંગો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મુખ્ય આકર્ષણ હોય છે.

11 જાન્યુઆરીથી શરૂ થશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025, આ હશે મુખ્ય આકર્ષણો

Related Posts

Ahmedabad AMC Food Dept Crackdown 2026: લાયસન્સ વગરનું ગોડાઉન સીલ! Food Safety Raid સાવચેત રહેજો અમદાવાદવાસીઓ

Ahmedabadમાં તહેવાર પહેલાં મીઠાઈ પર AMCની તવાઈ: કાજુ કતરીના વરખમાં અન્ય ધાતુ મળતા એકમ સીલ Ahmedabadમાં તહેવારોની સિઝન શરૂ થવા પહેલાં જ મીઠાઈ અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને AMCના ફૂડ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં મીઠાઈ અને માવાની દુકાનો તથા ઉત્પાદન એકમોમાં કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન કાજુ કતરીમાં ચાંદીના વરખના બદલે અન્ય ધાતુનો ઉપયોગ થતો હોવાની શંકા સામે આવી છે. આ તપાસ દરમિયાન કુલ 22 જેટલા ખાદ્ય એકમોમાં રેપિડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન કાલુપુર-બાપુનગર વિસ્તારમાં આવેલા શ્રી કનૈયાલાલ માવાવાળાના એકમમાં કાજુ કતરીના વરખ અંગે ગંભીર બાબત સામે આવતા એકમને સીલ કરવામાં આવ્યો હતો. તહેવારો દરમિયાન મીઠાઈની માંગ સામાન્ય દિવસોની સરખામણીએ નોંધપાત્ર રીતે વધી જાય છે. લોકો પોતાના પરિવાર અને સંબંધીઓ માટે મીઠાઈ…

Suratમાં ₹40 લાખની સાયબર છેતરપિંડી: નકલી WhatsApp પ્રોફાઇલથી કંપની માલિકના ખાતામાંથી ઉડાવ્યા લાખો રૂપિયા Fake WhatsApp Trap

Suratમાં ₹40 લાખની સાયબર છેતરપિંડી: નકલી WhatsApp પ્રોફાઇલથી કંપની માલિકના ખાતામાંથી ઉડાવ્યા લાખો રૂપિયા Surat Cyber Crime News 2026: ગુજરાતના Surat શહેરમાં સાયબર છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક કંપનીના 64 વર્ષીય માલિકને નિશાન બનાવીને સાયબર ઠગોએ ₹40 લાખની રકમ પડાવી લીધી હોવાનો આરોપ છે. પ્રાથમિક માહિતી મુજબ, ઠગોએ કંપનીના માલિકના નામે નકલી WhatsApp પ્રોફાઇલ બનાવી અને કર્મચારીને વિશ્વાસમાં લઈને કંપનીના ખાતામાંથી મોટી રકમ ટ્રાન્સફર કરાવી હતી. આ મામલે પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના ફરી એક વખત સાબિત કરે છે કે સાયબર ગુનેગારો હવે માત્ર સામાન્ય લોકોને જ નહીં પરંતુ વ્યવસાયિકો, કંપની માલિકો અને તેમના કર્મચારીઓને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. ખાસ કરીને કંપનીના નાણાકીય વ્યવહારો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *