અંબાજીમાં મેગા ડિમોલિશન, 200થી વધુ પોલીસ જવાનો કરાયા તૈનાત

B INDIA અંબાજી : અંબાજીમાં મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. શક્તિ કોરીડોર પ્રોજેક્ટ આડે આવતા દબાણ હટાવવા કામગારી હાથ ધરવામાં આવી છે. અને કોઇ અનિચ્છનિય ઘટના ન ઘટે એ માટે 200થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, અંબાજીના 89થી વધુ ઘરોને નોટિસ આપવામાં આવી છે. અંબાજી ખાતે દબાણો દૂર કરવાની કામગીરી હાઈકોર્ટના નિર્દેશ બાદ શરૂ થઈ છે. શક્તિ કોરિડોરના માર્ગ પર આવેલા મકાનોના ડિમોલિશનના વિરોધમાં લગભગ 60 લોકોએ હાઈકોર્ટમાં અરજીઓ દાખલ કરી હતી. પરંતુ હાઈકોર્ટે કોઈ પણ પ્રકારની રાહત આપવા ઇનકાર કરી દીધો અને તંત્રને દબાણો દૂર કરવાની તાત્કાલિક સૂચના આપી હતી.

અંબાજીમાં 89 કાચા અને પાકા મકાનોને તંત્ર દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી કલેક્ટર, જિલ્લા પોલીસવડા અને અન્ય ઉંચા અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. અનિચ્છનીય બનાવ ટાળવા માટે પુલિસના કડક બંદોબસ્તના પગલાં લેવામાં આવ્યા છે.

50 વર્ષોથી વધુ સમયથી રહેતા લોકોના ઘરને મોડી રાત્રે ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વર્ષોથી રહેતા લોકોના મકાનો તૂટતા લોકો ઘર વિહોણા થયા છે. આ ડિમોલિશનની કામગીરીને લઇ લોકોના ઘર સામાન ન લેવા દેતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ વ્યાપ્યો છે.

Related Posts

ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર, 7.30 કલાકની ચર્ચા બાદ બહુમતિથી મંજૂરી

ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આજે મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ 7.30 કલાકની સઘન ચર્ચા બાદ બહુમતિથી પસાર કરવામાં આવ્યું. ઉત્તરાખંડ પછી ગુજરાત દેશમાં આ કાયદો પસાર…

CM ભૂપેન્દ્ર પટેલે ઇંધણ પુરવઠાની કરી સમીક્ષા, અફવાઓથી દૂર રહેવા અપીલ

ગાંધીનગર ખાતે ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યમાં ઇંધણની ઉપલબ્ધતા અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ જિલ્લાનાં કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *