ગૃહ મંત્રાલયે કેમ આપ્યો મોકડ્રીલનો આદેશ? જાણો 1971ની મોકડ્રીલમાં શું થયું હતું

22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત અનેક ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી. આ બેઠકોના પરિણામે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 7 મેના રોજ દેશભરના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ યોજવાનું નક્કી કર્યું છે.

ભારતમાં છેલ્લી મોકડ્રીલ વર્ષ 1971માં યોજાઇ હતી. અને હવે દેશના 244 જિલ્લાઓમાં આ મોકડ્રીલ યોજાશે. વર્ષ 1971 માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું , ત્યારે ભારતમાં આટલી વ્યાપક મોક ડ્રીલ યોજાઈ હતી. તે સમયે મોકડ્રીલ યુદ્ધ દરમિયાન નાગરિક સલામતી સુનિશ્ચિત કરવા માટે યોજવામાં આવી હતી. હવે આ મોક ડ્રીલમાં, હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે, બ્લેકઆઉટ લાગુ કરવામાં આવશે અને સામાન્ય લોકોને હુમલાની સ્થિતિમાં કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે શીખવવામાં આવશે. આનો અર્થ એ થયો કે શાળાઓ, ઓફિસો અને ઘરોમાં રહેતા નાગરિકોને શીખવવામાં આવશે કે જોખમના કિસ્સામાં ક્યાં છુપાવવું, કેવી રીતે સતર્ક રહેવું અને કઈ બાબતો પોતાને બચાવવામાં મદદ કરી શકે છે. આ તૈયારી કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં જાન અને માલનું નુકસાન ઓછામાં ઓછું કરવાનો પ્રયાસ છે. આ સમય દરમિયાન ભારત હવે મોકડ્રીલ દ્વારા તેની આંતરિક તૈયારીઓનું પરીક્ષણ કરવા જઈ રહ્યું છે.

મોક ડ્રીલમાં આ મહત્વપૂર્ણ પાસાઓનું પરીક્ષણ કરવામાં આવશે
આ મોક ડ્રીલ માત્ર ઔપચારિકતા નથી. પરંતુ ઘણા મહત્વપૂર્ણ પાસાઓનું પરીક્ષણ કરવાનો એક માર્ગ છે. આમાં મુખ્ય છે હવાઈ હુમલાની ચેતવણી પ્રણાલીની અસરકારકતાનું મૂલ્યાંકન. ભારતીય વાયુસેના સાથે હોટલાઇન અને રેડિયો સંચાર લિંક્સની કાર્યક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવશે જેથી કટોકટીની સ્થિતિમાં સંદેશાવ્યવહાર ખોરવાઈ ન જાય. કંટ્રોલ રૂમ અને શેડો કંટ્રોલ રૂમની કાર્યકારી ક્ષમતાનું પણ પરીક્ષણ કરવામાં આવશે. નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓને પ્રતિકૂળ હુમલાઓ દરમિયાન સલામતીના પગલાં વિશે શિક્ષિત કરવા અને તેમને નાગરિક સંરક્ષણ અંગે તાલીમ આપવા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

 

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભાવનગરમાં ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત

ભાવનગર : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કાયદા વિભાગ હસ્તકની સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી, ભાવનગર તેમજ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભાવનગર માટે નવનિર્મિત થનાર ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.…

ગુજરાતના MSME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટીઝનો સહયયોગ ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ SME સેક્ટરને મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત નેપાળ અને લંકા તથા માલદીવ્સના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર સુ. સ્ટેલા નકોમો અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી અને ડેલીગેશને ગાંધીનગરમાં લીધી હતી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *