તમિલનાડુમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા રાજકીય સસ્પેન્સનો અંત આવી ગયો છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજય થલાપતિએ આજે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરએ તેમને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા. શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.
તમિલનાડુમાં પહેલીવાર ચૂંટણી લડનાર તમિલગા વેટ્રી કઝગમ (ટીવીકે)એ 234 સભ્યોની વિધાનસભામાં 108 બેઠકો જીતીને મોટો રાજકીય ચમત્કાર સર્જ્યો હતો. જોકે સરકાર બનાવવા માટે જરૂરી બહુમત સુધી પહોંચવા માટે પાર્ટીને સાથી પક્ષોના સમર્થનની જરૂર હતી.
શનિવારે ડીએમકેના સાથી પક્ષો વિદુથલાઈ ચિરુથાઈગલ કચ્ચી અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગએ ટીવીકেকে બિનશરતી સમર્થન આપતા વિજય માટે સરકાર બનાવવાનો માર્ગ સરળ બન્યો હતો. કોંગ્રેસના પાંચ અને ડાબેરી પક્ષોના ચાર ધારાસભ્યોના સમર્થન સાથે વિજયને કુલ 120 ધારાસભ્યોનું સમર્થન મળ્યું.
વિજય સાથે તેમની પાર્ટીના 9 નેતાઓએ પણ મંત્રીપદના શપથ લીધા. જોકે કોંગ્રેસ તરફથી કોઈ નેતાને મંત્રીમંડળમાં સ્થાન ન મળતા રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વિજયે અનેક વખત રાજ્યપાલ સાથે મુલાકાત કરી સરકાર રચવાનો દાવો કર્યો હતો, પરંતુ પૂરતું સંખ્યાબળ ન હોવાને કારણે નિર્ણય અટકેલો હતો. અંતે નાના પક્ષોના સમર્થન બાદ શનિવારે સાંજે તેમણે રાજ્યપાલને 120 ધારાસભ્યોના સમર્થનપત્રો સોંપ્યા હતા.
સૂત્રો મુજબ શપથગ્રહણનો સમય બદલવાની ચર્ચા થઈ હતી, પરંતુ વિજયના જ્યોતિષીએ સવારે 10 વાગ્યાનો સમય શુભ ગણાવતા એ જ સમયે સમારોહ યોજાયો.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276






