વડોદરા: સમતા વિસ્તારમાં ત્રણ માળની રહેણાંક ઇમારત ધરાશાયી , ચાર ઇજાગ્રસ્ત

શહેરના સમતા વિસ્તારમાં આજે સવારે ગુજરાત હાઉસિંગ બોર્ડની જુની રહેણાંક ઇમારત “સૂર્યકિરણ એપાર્ટમેન્ટ” અચાનક ધરાશાયી થતા ભયજનક સ્થિતિ સર્જાઈ છે. ત્રણ માળની આ જર્જરિત ઇમારતના કાટમાળ નીચે ઘણા લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ દુર્ઘટનામાં અત્યાર સુધી ચાર લોકોને ઇજાઓ પહોંચી હોવાનું જણાવ્યું છે, જ્યારે બચાવ દળો દ્વારા હજુ પણ કાટમાળ નીચે વધુ લોકો હોવાની શક્યતા વ્યક્ત કરી રહી છે. ઘટનાની જાણ થતાં તરત જ ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

જિલ્લા કલેક્ટર, પોલીસ અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહીને રાહત કાર્યનું નિરીક્ષણ કરી રહ્યા છે. સ્થાનિક કાઉન્સિલરો અને સમાજસેવી સંસ્થાઓ પણ બચાવ કાર્યમાં સહકાર આપી રહી છે.

પ્રથમ દ્રષ્ટિએ એવું માનવામાં આવી રહ્યું છે કે ઇમારત લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતી. આ ઘટના બાદ રહીશો અને આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

તપાસ ચાલુ છે, વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો.

Related Posts

રાજ્યમાં યોજાનારી બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક, આ મુદ્દે થઈ ચર્ચા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ અંગે વિદ્યા સમીક્ષા કેન્દ્ર – ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની…

સુરતની નવી સિવિલનું નવું નજરાણું, સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાનો શુભારંભ

રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં સૌ પ્રથમવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અદ્યતન કેથેટરાઇઝેશન લેબોરેટરી(કેથ લેબ) સેવાની શરૂઆત કરવામાં આવી છે. નવી સિવિલના ન્યુરોલોજી અને રેડિયોલોજી વિભાગ દ્વારા શરૂ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *