Vadodara : વડોદરામાં ગુમ થયેલી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો, હત્યા કરાઈ હોવાની આશંકા

વડોદરામાં 11 માર્ચના રહસ્યમય રીતે ગુમ થયેલી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો છે. M.S. યુનિવર્સિટીની વિદ્યાર્થિની 3 દિવસથી ગુમ હતી. વિદ્યાર્થિનીનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો છે. જાસપુર-લકડકુઈ ગામ પાસેથી પસાર થતી કેનાલ પાસેથી યુવતીનું એક્ટિવા, બુટ અને મોબાઈલ મળી આવ્યા હતા.જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં બ્રાહ્મણ સમાજની મેગા બિઝનેસ સમિટનો પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યાં હાજર

મળતી માહિતી અનુસાર, યુવતી ભાયલીમાં ભાઈ સાથે રહીને અભ્યાસ કરતી હતી. માતા-પિતા ન હોવાથી યુવતી તેના ભાઈ સાથે રહેતી હતી. 11 માર્ચે રહસ્યમય સંજોગોમાં યુવતી ગુમ થઈ હતી. યુવતીની મેન્ટલ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. પરિવારે યુવતી સાથે કંઈક અજુગતું થયું હોવાની શંકા વ્યક્ત કરી છે. પાદરા પોલીસે ડોગ સ્કવોડની મદદ લઈ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :- gandhinagar : વિધાનસભા ખાતે હેલ્થ ચેકઅપનું આયોજન, આગામી 18-21 માર્ચે ધારાસભ્યો, કર્મચારીઓ અને પત્રકારોનું કરાશે ચેકઅપ

મહત્વનું છે કે, બીજી તરફ બનાસકાંઠામાં ગુમ થયેલા શિક્ષકનો મૃતદેહ મળ્યો છે. નર્મદા કેનાલમાંથી શિક્ષકનો મૃતદેહ મળ્યો છે. તેઓ ગઈકાલે કહ્યા વિના ઘરેથી નીકળી ગયા હતા. જતાં પહેલા ભરત પરમારે સ્ટેટ્સ મૂક્યું હતું કે, હું નિર્દોષ છું. મારા વિરુદ્ધ ગણેશભાઈ લાલજીભાઇ અને ગણપતભાઈએ ષડયંત્ર રચ્યું છે. જ્યારે ગુમ થયેલા શિક્ષકનો મૃતદેહ મળી આવ્યો છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

બનાસકાંઠાનાં ઉણ ગામમાં સામુહિક અથડામણ: ગાડીઓ તૂટી, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો

બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદે આજે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભયાનક અથડામણ ફાટી નીકળી. ઇસમસામે લાકડીઓ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *