8 ઓકટોબરથી UPI ટ્રાન્જેક્શન કરવું બનશે વધુ સરળ, બદલાય રહ્યો છે આ નિયમ

દેશમાં ડિજિટલ પેમેન્ટને સરળ અને વધુ સુરક્ષિત બનાવવા તરફ એક મોટું પગલું લેવામાં આવ્યું છે. હવે, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા વ્યવહાર કરતા યુઝર્સ ને પેમેન્ટ માટે પિન દાખલ કરવાની જરૂર રહેશે નહીં. તેના બદલે, તેઓ ફેસ આઇડેન્ટિટી અથવા ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને તેમના ટ્રાનજેક્શનને મંજૂરી આપી શકશે. આ નવી સુવિધા 8 ઓક્ટોબરથી અમલમાં આવશે. આ પગલું RBIના તાજેતરના માર્ગદર્શિકા અનુસાર છે જે વૈકલ્પિક ઓથેન્ટિકેશનને મંજૂરી આપે છે.

NPCI (જે UPIનું સંચાલન કરે છે) મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલમાં આ સુવિધા પ્રદર્શિત કરવા જઈ રહ્યું છે. આ ડિજિટલ પેમેન્ટ કરનારને ઝડપી, સુરક્ષિત અને વધુ અનુકૂળ બનાવશે. મીડિયાના એક અહેવાલ મુજબ, આ નવી સુવિધા ભારત સરકારની આધાર સિસ્ટમમાં સંગ્રહિત બાયોમેટ્રિક ડેટા દ્વારા પેમેન્ટ કરનારને પ્રમાણિત કરશે. એટલે કે, યુઝર્સના ચહેરા અથવા ફિંગરપ્રિન્ટને તેમના આધાર ડેટા સાથે મેચ કરવામાં આવશે, જેનાથી પેમેન્ટ થઈ શકશે.

RBI ની નવી માર્ગદર્શિકા
આ પગલું ડિજિટલ વ્યવહારો માટે વૈકલ્પિક ઓથેન્ટિકેશન પદ્ધતિઓને મંજૂરી આપતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના તાજેતરના માર્ગદર્શિકા અનુસાર છે. આનાથી ડિજિટલ પેમેન્ટમાં સુરક્ષા અને યુઝર્સના અનુભવ બંનેમાં સુધારો થવાની અપેક્ષા છે.

UPI અનુભવ સરળ બનશે
હાલમાં, યુઝર્સ એ દરેક UPI વ્યવહાર માટે 4- અથવા 6-અંકનો PIN દાખલ કરવો જરૂરી છે. એકવાર નવી સુવિધા લાગુ થઈ જાય, પછી ફેસ સ્કેન અથવા ફિંગરપ્રિન્ટ સેન્સરનો ઉપયોગ કરીને પેમેન્ટ ઓ તાત્કાલિક પ્રમાણિત કરવામાં આવશે. આનાથી વ્યવહારનો સમય ઓછો થશે, સુરક્ષા વધશે અને યુઝર્સનોઅનુભવ વધુ સરળ બનશે. નિષ્ણાતો કહે છે કે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન છેતરપિંડીની શક્યતા ઘટાડશે, કારણ કે ચહેરા અથવા ફિંગરપ્રિન્ટની નકલ કરવી મુશ્કેલ છે. જો કે, ડેટા સુરક્ષા અને ગોપનીયતા સુનિશ્ચિત કરવા માટે NPCI અને UIDAI વચ્ચે મજબૂત તકનીકી પ્રોટોકોલ અપનાવવામાં આવશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

કેન્દ્રીય બજેટ 2026: FM નિર્મલા સીતારમણનું સેમીકન્ડક્ટર માટે 40,000 કરોડનું મોટું એલાન, જાણો વિગત

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રવિવારે ભારતનું નવું બજેટ 2026 રજૂ કર્યું છે. આ તેમનું નવમું બજેટ છે અને ઈતિહાસમાં તે પ્રથમ નાણામંત્રી બનશે જેમણે નવમું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં…

શેરબજારમાં ભારે કડાકો: બજેટની એક જાહેરાતથી રોકાણકારોમાં ગભરાટ, સેન્સેક્સ 2000 પોઈન્ટ તૂટ્યો

કેન્દ્ર સરકારના બજેટમાં કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ખાસ કરીને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) સેગમેન્ટમાં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) વધારવાનો નિર્ણય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *