2024માં બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન અને ત્યારબાદ થયેલી હિંસા અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગના અહેવાલમાં ગંભીર ખુલાસા થયા છે. આ રિપોર્ટમાં શેખ હસીનાની સરકાર અને મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર દરમિયાન થયેલા માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.રિપોર્ટ અનુસાર, 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન ઓછામાં ઓછા 1,400 લોકો માર્યા ગયા હતા.
આ સમયગાળા દરમિયાન, સુરક્ષા દળોએ મોટાભાગના વિરોધીઓને ગોળી મારી હતી, જેમાં ૧૨-૧૩ ટકા બાળકોનો સમાવેશ થતો હતો. શેખ હસીનાની અવામી લીગ સરકારે બળવાના શરૂઆતના દિવસોમાં માત્ર 150 લોકોના મોતની પુષ્ટિ કરી હતી, પરંતુ અહેવાલો સૂચવે છે કે ગેરકાયદેસર હત્યાઓ, મનસ્વી ધરપકડો અને સેંકડોની સંખ્યામાં અટકાયતો શેખ હસીના સરકાર અને સુરક્ષા અધિકારીઓની જાણકારીથી કરવામાં આવી હતી.
-> લઘુમતીઓ સામે હિંસા અને અત્યાચાર :- સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગે પણ મુહમ્મદ યુનુસની વચગાળાની સરકાર પર લઘુમતીઓ વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. આ રિપોર્ટમાં હિન્દુઓ, અહમદિયા મુસ્લિમો અને આદિવાસીઓ પર થતા હુમલાઓ વિશે માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચિત્તાગોંગ પહાડી પ્રદેશના અવામી લીગના નેતાઓ, લઘુમતીઓ અને આદિવાસીઓ સામે હિંસાને દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
-> જાતિગત હિંસા અને પોલીસ ક્રૂરતા :- રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે મહિલાઓને વિરોધ કરતા રોકવા માટે તેમને શારીરિક હુમલો અને બળાત્કારની ધમકી આપવામાં આવી હતી. આ હુમલાઓમાં પોલીસની સંડોવણી પ્રકાશમાં આવી છે. યુએન માનવાધિકાર વડા વોલ્કર તુર્કે જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે રાજકીય નેતૃત્વ અને સુરક્ષા અધિકારીઓ દ્વારા ઇરાદાપૂર્વક ગેરકાયદેસર હત્યાઓ અને ત્રાસ આપવામાં આવી રહ્યો છે.
-> શેખ હસીના અને યુનુસ સરકાર વિરુદ્ધ રિપોર્ટ :- યુનુસ સરકાર દરમિયાન લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓને ઓછી આંકવાના પ્રયાસો થયા હતા, પરંતુ અહેવાલમાં સત્યનો પર્દાફાશ થયો છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે અબુ સઈદ (વિદ્યાર્થી નેતા અને બળવાના શહીદ) ની હત્યા જાણી જોઈને કરવામાં આવી હતી.








