ચંડોળા તળાવનો થશે કાયાપલટ: નર્મદાના પાણીથી તળાવ ભરાશે, કાંકરિયાની જેમ થશે બ્યૂટિફિકેશન

અમદાવાદના ચંડોળા તળાવનો નવો અવતાર હવે સહેલાણીઓને પણ આકર્ષશે:- તાજેતરમાં થયેલી તોડફોડ બાદ તળાવને નવા રૂપમાં રજૂ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ડેવલપમેન્ટની યોજના અમલમાં મુકાઈ છે. 27.53 કરોડના ખર્ચે પ્રથમ ફેઝ શરૂ થયો છે, જેમાં વોક વે, જંગલ-જિમ, એમ્ફીથિયેટર જેવી વિવિધ સાઇટ seeing સુવિધાઓનો સમાવેશ છે.

4,000 જેટલા મકાનો તોડી 1.5 લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાઈ:-

29 અને 30 એપ્રિલે મ્યુનિસિપલ તંત્રે પોલીસ બંદોબસ્ત સાથે 4 હજાર જેટલા કાચાં-પાકાં મકાન તોડી દઈને સરકારી જમીનમાંથી દબાણો દૂર કર્યાં છે. આ કાર્યવાહી બાદ તળાવના વિકાસ માટેનો માર્ગ મોકળો થયો છે.

નર્મદાના પાણીથી તળાવ ભરાશે, STP પ્લાન્ટ પણ બનશે:-

તળાવમાં ઘોડાસર કેનાલના માધ્યમથી નર્મદાનું પાણી ઠાલવાશે. સાથે જ ગટરના ટ્રીટેડ પાણી માટે STP પ્લાન્ટ પણ બનાવાશે, જેથી તળાવમાં બારેમાસ પાણી ભરેલું રહે.

સાત ફેઝમાં થશે વિકાસ, પહેલી ફેઝનો કામ શરૂ:-

ચંડોળા તળાવનું રીડેવલપમેન્ટ સાત તબક્કામાં થશે. પ્રથમ તબક્કો દાણીલીમડાથી નારોલ તરફના વિસ્તાર માટે છે. હાલ વોક વે, ખંભાતી કૂવો અને ડીપનિંગનું કામ શરૂ છે.

વિશેષ સુવિધાઓ અને સુદૃઢ બાંધકામ:-

  • વોક વે અને પ્રોમિનાડ

  • જંગલ-જિમ, પાર્ટી પ્લોટ

  • એમ્ફીથિયેટર, સુએજ પંપિંગ સ્ટેશન

  • તળાવની આસપાસ રિપેરીઅન ઝોન અને વૃક્ષારોપણ

કાંકરિયાની જેમ ટૂરિઝમ હબ બનાવવાનો લક્ષ્ય:-

આ ડેવલપમેન્ટ બાદ દાણીલીમડા, ઈસનપુર, ઘોડાસર અને શાહ આલમના રહેવાસીઓને હરવાફરવા માટે ખાસ કાંકરિયા જવું ન પડે એવું તળાવનો કાયાપલટ થશે. પ્રોજેક્ટ પછી આ વિસ્તાર નવો ટૂરિઝમ હબ બની શકે છે.

ફરી દબાણ ન થાય એ માટે દીવાલ અને સર્વે:-

મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે તળાવની હદ નક્કી કરવાની કામગીરી શરૂ કરી છે. દશા માતા મંદિર તરફથી તળાવને દીવાલથી બંધ કરવામાં આવશે જેથી ફરીથી દબાણ ન થાય.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

  • Related Posts

    સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદમાં નિષ્પક્ષ અને સુરક્ષિત મતદાન માટે તંત્ર સજ્જ

    અમદાવાદ જિલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે આવતીકાલે તા. 26 એપ્રિલે મતદાન યોજાનાર છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમાર દ્વારા અમદાવાદના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક…

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના નાગરિકોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં અવશ્ય મતદાન કરવાની અપિલ👆

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તારીખ 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માં 100 ટકા મતદાન કરવા સૌ નાગરિકોને અપિલ કરી છે. લોકશાહીના આ પવિત્ર મહાપર્વ માં રાજ્યના તમામ મતદારોને…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *