ચંડોળા તળાવનો થશે કાયાપલટ: નર્મદાના પાણીથી તળાવ ભરાશે, કાંકરિયાની જેમ થશે બ્યૂટિફિકેશન

અમદાવાદના ચંડોળા તળાવનો નવો અવતાર હવે સહેલાણીઓને પણ આકર્ષશે:- તાજેતરમાં થયેલી તોડફોડ બાદ તળાવને નવા રૂપમાં રજૂ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ડેવલપમેન્ટની યોજના અમલમાં મુકાઈ છે. 27.53 કરોડના ખર્ચે પ્રથમ ફેઝ શરૂ થયો છે, જેમાં વોક વે, જંગલ-જિમ, એમ્ફીથિયેટર જેવી વિવિધ સાઇટ seeing સુવિધાઓનો સમાવેશ છે.

4,000 જેટલા મકાનો તોડી 1.5 લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાઈ:-

29 અને 30 એપ્રિલે મ્યુનિસિપલ તંત્રે પોલીસ બંદોબસ્ત સાથે 4 હજાર જેટલા કાચાં-પાકાં મકાન તોડી દઈને સરકારી જમીનમાંથી દબાણો દૂર કર્યાં છે. આ કાર્યવાહી બાદ તળાવના વિકાસ માટેનો માર્ગ મોકળો થયો છે.

નર્મદાના પાણીથી તળાવ ભરાશે, STP પ્લાન્ટ પણ બનશે:-

તળાવમાં ઘોડાસર કેનાલના માધ્યમથી નર્મદાનું પાણી ઠાલવાશે. સાથે જ ગટરના ટ્રીટેડ પાણી માટે STP પ્લાન્ટ પણ બનાવાશે, જેથી તળાવમાં બારેમાસ પાણી ભરેલું રહે.

સાત ફેઝમાં થશે વિકાસ, પહેલી ફેઝનો કામ શરૂ:-

ચંડોળા તળાવનું રીડેવલપમેન્ટ સાત તબક્કામાં થશે. પ્રથમ તબક્કો દાણીલીમડાથી નારોલ તરફના વિસ્તાર માટે છે. હાલ વોક વે, ખંભાતી કૂવો અને ડીપનિંગનું કામ શરૂ છે.

વિશેષ સુવિધાઓ અને સુદૃઢ બાંધકામ:-

  • વોક વે અને પ્રોમિનાડ

  • જંગલ-જિમ, પાર્ટી પ્લોટ

  • એમ્ફીથિયેટર, સુએજ પંપિંગ સ્ટેશન

  • તળાવની આસપાસ રિપેરીઅન ઝોન અને વૃક્ષારોપણ

કાંકરિયાની જેમ ટૂરિઝમ હબ બનાવવાનો લક્ષ્ય:-

આ ડેવલપમેન્ટ બાદ દાણીલીમડા, ઈસનપુર, ઘોડાસર અને શાહ આલમના રહેવાસીઓને હરવાફરવા માટે ખાસ કાંકરિયા જવું ન પડે એવું તળાવનો કાયાપલટ થશે. પ્રોજેક્ટ પછી આ વિસ્તાર નવો ટૂરિઝમ હબ બની શકે છે.

ફરી દબાણ ન થાય એ માટે દીવાલ અને સર્વે:-

મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે તળાવની હદ નક્કી કરવાની કામગીરી શરૂ કરી છે. દશા માતા મંદિર તરફથી તળાવને દીવાલથી બંધ કરવામાં આવશે જેથી ફરીથી દબાણ ન થાય.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

  • Related Posts

    ગુજરાત સરકારમાં વહીવટી ફેરફાર: રૂપવંત સિંઘ બન્યા મુખ્ય રાજ્ય કર કમિશનર, આલોક કુમાર પાંડેને આદિજાતિ વિકાસ કમિશનરની જવાબદારી

    ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બે વરિષ્ઠ IAS અધિકારીઓની મહત્વપૂર્ણ બદલી કરવામાં આવી છે. વહીવટી તંત્રમાં કરવામાં આવેલા આ ફેરફારો અંતર્ગત રૂપવંત સિંઘ અને આલોક કુમાર પાંડેને નવી જવાબદારીઓ સોંપવામાં આવી…

    કચ્છમાં રેલ વિકાસને નવી ગતિ: ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને મંજૂરી

    કચ્છમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રેલવેએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના આદિપુર-ભુજ રેલવે સેક્શનના 49 કિલોમીટર લાંબા ડબલિંગ (બેવડી લાઇન) પ્રોજેક્ટને ₹493 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *