ખેડૂતો માટે રાહતના સમાચાર: સરકાર રૂ. 8060 પ્રતિ ક્વિન્ટલના ટેકાના ભાવે કરશે કપાસની ખરીદી

ગુજરાતના કપાસ ઉગાડતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આજે ગાંધીનગર ખાતે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં રાજ્યમાં કપાસની ટેકાના ભાવે ખરીદી સુનિશ્ચિત કરવા માટે મહત્વના નિર્ણયો લેવાયા છે.

ભારત સરકાર દ્વારા 2025-26 માટે કપાસનો ટેકાનો ભાવ રૂ. 8060 પ્રતિ ક્વિન્ટલ (અથવા રૂ. 1612 પ્રતિ મણ) નક્કી કરવામાં આવ્યો છે. હાલમાં કપાસનો બજાર ભાવ ટેકાના ભાવે કરતાં રૂ. 800 થી 1000 ઓછો છે, જેના પગલે મોટી સંખ્યામાં ખેડૂતો ટેકાના ભાવે કપાસ વેચવા ઇચ્છુક છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલના સૂચનો:
– CCI દ્વારા તમામ પાત્ર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી સુનિશ્ચિત કરવી.
– જ્યાં જરૂરી હોય ત્યાં નોંધણીની સમયમર્યાદા લંબાવવા.
– ખરીદી કેન્દ્રોની ઉપલબ્ધતા વધુ કરવા માટે દરેક તાલુકામાં ઓછામાં ઓછા બે કેન્દ્રો શરૂ કરવા.
– જેમણે હજુ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી એવા ખેડૂતો માટે પણ ખાસ અનુમતિ લઇ ખરીદી શક્ય બને એ રીતે આયોજન કરવું.
– APMC માર્કેટ યાર્ડ ખાતે સીધી હરાજી ખરીદીની વ્યવસ્થા કરવી.

વાવેતર અને ઉત્પાદનની સ્થિતિ:
મંત્રીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષમાં સારો વરસાદ થયો હોવાથી રાજ્યમાં કપાસનું પુષ્કળ વાવેતર થયું છે અને ખેતીની પરિસ્થિતિ પણ અનુકૂળ છે. જેથી ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.

ખેડૂતો માટે અગત્યની સૂચના:
ટેકાના ભાવે કપાસ વેચવા માંગતા તમામ ખેડૂતો માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે. હાલમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે, અને 31 ઑક્ટોબર 2025 સુધી ચાલુ રહેશે. કૃષિ મંત્રીએ તમામ ખેડૂતોને સમયસર નોંધણી કરવાની અપીલ કરી છે જેથી તેમને ટેકાના ભાવે વેચાણનો લાભ મળી શકે.

બેઠકમાં કોણ હાજર રહ્યો?
આ મહત્વપૂર્ણ બેઠકમાં સંસદ સભ્યો, ધારાસભ્યો અને ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન રાજ્યના ખેડૂતોના પ્રશ્નો રજૂ કરીને તેનો યોગ્ય ઉકેલ લાવવાના પ્રયાસો કરાયા.

ગુજરાત સરકારે કપાસના ટેકાના ભાવે વેચાણ માટે જે પગલાં લીધાં છે તે ખેડૂતો માટે મોટી રાહતરૂપ છે. બજાર ભાવ કરતા ઓછા દરને કારણે થયેલ નુકસાન સામે આ યોજના તેમને ન્યાય આપશે અને તેમની આવક સુરક્ષિત કરશે.

Related Posts

બજેટને લઈ CM ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણાંમંત્રી મતિ નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલું 2026-27ના વર્ષનું બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ છે તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

પોરબંદરમાં રાજ્યકક્ષાના 8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનારનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો, જાણો શું કહ્યું વનમંત્રીએ

ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય ‘8માં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *