ભારતમાં 2000 રૂપિયાની નોટો અંગે RBIની નવી સૂચના, જાણો વિગત

ભારતભરમાં ફરી 2000 રૂપિયાની નોટો ચર્ચામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નવી માહિતી જાહેર કરી છે, જેમાં જણાવાયું છે કે નોટબંધીના લગભગ સોઢા વર્ષ પછી પણ 5,817 કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટો હજુ પણ ચલણમાં નથી આવી. મોટાભાગના લોકો માનતા હતા કે આ નોટો સિસ્ટમમાંથી સંપૂર્ણપણે હટાવી દીધી ગઇ છે.

RBIએ જણાવ્યું હતું કે 19 મે, 2023ના રોજ ₹2,000 ની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે કુલ મૂલ્ય ₹3.56 લાખ કરોડ હતું. હવે માત્ર ₹5,817 કરોડ જ બાકી છે. આનો અર્થ છે કે RBI મુજબ, ₹2,000 ની 98.37% નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે.

2000 રૂપિયાની નોટો હજુ પણ માન્ય છે:
RBIએ સ્પષ્ટ કર્યું છે કે ₹2,000 ની નોટો કાયદેસર ચલણ છે અને કોઈપણ વ્યવહારમાં સ્વીકારી શકાય છે. જો કે, નવી નોટો હવે છાપવામાં આવતી નથી અને બેંકો તેને ફરીથી બહાર પાડતી નથી. RBIએ જણાવ્યું છે કે 19 મે, 2023થી આ નોટો RBIની પ્રાદેશિક કચેરીઓમાં જમા અથવા વિનિમય માટે ઉપલબ્ધ છે. 9 ઓક્ટોબર, 2023થી આ સુવિધા સામાન્ય લોકો માટે સરળ બની છે.

લોકો હવે તેમના ₹2,000 ની નોટો ભારત પોસ્ટ દ્વારા અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમ સ્થિત RBI ઓફિસોમાં મોકલીને બેંક ખાતામાં જમા કરાવી શકે છે.

નોટોની સ્થિતિ:
RBI એ જણાવ્યું છે કે સમયાંતરે 2,000 રૂપિયાની નોટોની સ્થિતિ અંગે અપડેટ આપવામાં આવશે. કેટલીક નોટો હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં અથવા રોકડ આધારિત વ્યવસાયોમાં છુપાઈ હોઈ શકે છે. કેટલાક લોકો તેમને સ્મારક કે સંગ્રહ માટે પણ રાખી રહ્યા હોઈ શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

નળસરોવર પક્ષી ગણતરી 2026 સંપન્ન: 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની થઈ નોંધણી

પ્રવાસી પક્ષીઓના જતન અને સંરક્ષણ માટે વન વિભાગની સરાહનીય પહેલ 50 ઝોનમાં વહેંચાઈને 220 પક્ષીવિદોએ હાથ ધરી વસ્તી ગણતરી અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે…

વર્ષ 2026-27 માટે ખેડૂતો પાસેથી સરકાર કરશે ચણા અને રાઇની ટેકાના ભાવે ખરીદી , જાણો ક્યારે શરૂ થશે નોંધણી પ્રક્રિયા

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ 2026-27…