રાહુલ ગાંધીએ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ઉઠાવ્યો મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો, જાણો શું કહ્યું

ભારતીય સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના બોસ્ટન પહોંચી ગયા છે. અહીં તેમણે બ્રાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે એક સત્ર કર્યું. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે દેશની ચૂંટણી પ્રણાલીમાં ‘ગંભીર સમસ્યા’ છે.

તેમણે કહ્યું, “સરળ શબ્દોમાં કહીએ તો, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરનારા યુવાનોની સંખ્યા મતદારોની સંખ્યા કરતા વધુ છે. આ એક હકીકત છે. ચૂંટણી પંચે અમને સાંજે 5:30 વાગ્યા સુધીના મતદાનના ડેટા આપ્યા હતા અને 5:30 થી 7:30 વાગ્યાની વચ્ચે, જ્યારે મતદાન બંધ થવું જોઈતું હતું, ત્યારે 65 લાખ મતદારોએ મતદાન કર્યું. હવે, આ અશક્ય છે, ખરું ? કારણ કે એક મતદારને મતદાન કરવામાં લગભગ 3 મિનિટ લાગે છે અને જો તમે ગણતરી કરો છો, તો તેનો અર્થ એ થશે કે મતદારો સવારના 2 વાગ્યા સુધી કતારોમાં હતા અને તેઓ આખી રાત મતદાન કરતા રહ્યા, અને એવું થયું નહીં.”

બદલી નાખ્યો કાયદો
રાહુલ ગાંધીએ આગળ કહ્યું, “તો અમે તેમને પૂછ્યું કે શું વીડિયોગ્રાફી થઈ રહી છે. તેમણે માત્ર વીડિયોગ્રાફીનો ઇનકાર જ કર્યો નહીં, પરંતુ કાયદો પણ બદલી નાખ્યો, તેથી હવે તમે વીડિયોગ્રાફી માટે કહી શકતા નથી.”રાહુલે વધુમાં કહ્યું, “અમને એ વાત ખૂબ જ સ્પષ્ટ હતી કે ચૂંટણી પંચ સાથે ચેડા કરવામાં આવ્યા છે. એ વાત ખૂબ જ સ્પષ્ટ છે કે સિસ્ટમમાં કંઈક ખૂબ જ ખોટું છે. અમે આ વાત જાહેરમાં કહી છે, મેં ઘણી વાર કહી છે.”

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

વિકાસનો મહાકુંભ: PM મોદી વાવ-થરાદથી ગુજરાતને ₹19,800 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે * ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના…

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ: ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય ‘સંસ્કૃત સન્માન સમારોહ’

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ …………. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ યોજાયો …………… “સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે.” :…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *