રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વાર્ષિક ઉચ્ચ-સ્તરીય બેઠકમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવવાના છે. રાષ્ટ્રપતિ પુતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આમંત્રણ સ્વીકાર્યું છે. સોમવારે બંને નેતાઓએ ટેલિફોન પર વાત કરી હતી. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી.
ક્રેમલિન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નેતાઓએ સમાધાન કર્યા વિના આતંકવાદ સામે તેના તમામ સ્વરૂપો સામે લડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ભારતીય નેતાએ રશિયન રાષ્ટ્રપતિને વાર્ષિક દ્વિપક્ષીય શિખર સંમેલન માટે ભારત આવવા આમંત્રણ આપ્યું. પુતિને આમંત્રણનો સ્વીકાર કર્યો છે.
પુતિને ભારતને આપ્યું સમર્થન
નિવેદનમાં જણાવાયું છે કે તેઓએ રશિયન-ભારતીય સંબંધોના વ્યૂહાત્મક સ્વભાવ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આ સંબંધો બાહ્ય પ્રભાવથી પ્રભાવિત નથી અને બધી દિશામાં ગતિશીલ રીતે વિકાસ પામતા રહેશે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી અને પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી હતી અને કહ્યું હતું કે ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા જ જોઈએ. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પુતિને મોદીને એમ પણ કહ્યું કે રશિયા આતંકવાદ સામેની ભારતની લડાઈને સંપૂર્ણ સમર્થન આપે છે.
“રશિયાના રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને ભારતના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી. તેમણે નિર્દોષ લોકોના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








