પુણે: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે અવસાન

પુણેના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેમજ ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા. મંગળવાર, 6 જાન્યુઆરીના રોજ વહેલી સવારે 3:30 વાગ્યે પુણેમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

સુરેશ કલમાડીના નશ્વર દેહને બપોરે 2:00 વાગ્યા સુધી પુણેના એરંડવાને સ્થિત કલમાડી હાઉસ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ સાંજે નવી પેઠ સ્થિત વૈકુંઠ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

કોમનવેલ્થ ગેમ્સ વિવાદથી ચર્ચામાં
સુરેશ કલમાડીનું નામ 2010માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સના આયોજન સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર કેસને કારણે ખાસ ચર્ચામાં આવ્યું હતું. ગેમ્સના આયોજન અને કોન્ટ્રાક્ટ આપવામાં થયેલી નાણાકીય અનિયમિતતાઓના આરોપ હેઠળ તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.

લાંબી રાજકીય કારકિર્દી
સુરેશ કલમાડીનો જન્મ 1 મે, 1944ના રોજ થયો હતો. તેઓ ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ પાઇલટ રહ્યા હતા અને બાદમાં રાજકારણમાં પ્રવેશ કર્યો. 1982માં તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા હતા અને 1995માં કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. પુણે લોકસભા બેઠક પરથી તેઓ અનેક વખત સાંસદ તરીકે ચૂંટાયા.

રમતગમત પ્રશાસનમાં પણ મહત્વની ભૂમિકા
રાજકારણ ઉપરાંત સુરેશ કલમાડી રમતગમત પ્રશાસનમાં પણ સક્રિય રહ્યા હતા. તેઓ લાંબા સમય સુધી ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ રહ્યા. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ રાજકીય રીતે સક્રિય નહોતા.

સુરેશ કલમાડીના અવસાનથી પુણેની રાજનીતિ અને કોંગ્રેસ પાર્ટીમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેઓ પુણેના વિકાસ સાથે જોડાયેલા અનેક મહત્વના પ્રોજેક્ટ્સમાં મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બનાસકાંઠાનાં ઉણ ગામમાં સામુહિક અથડામણ: ગાડીઓ તૂટી, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો

બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદે આજે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભયાનક અથડામણ ફાટી નીકળી. ઇસમસામે લાકડીઓ…

T20 વર્લ્ડ કપ જીત્યા પછી શા માટે ટ્રેનમાં મુંબઈ પહોંચ્યા શિવમ દુબે? જાણો સંપૂર્ણ કારણ

T20 વર્લ્ડ કપ 2026 જીત્યા પછી જ્યાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યાં ઓલરાઉન્ડર Shivam Dube એ એક એવો નિર્ણય લીધો જે સૌને આશ્ચર્યમાં મૂકી દેતો હતો. અમદાવાદથી મુંબઈ…