બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ: NCP નું જમાત-એ-ઈસ્લામી સાથે ગઠબંધન, અનેક નેતાઓએ આપ્યું રાજીનામું

બાંગ્લાદેશ: નવી બનેલી નેશનલ સિટિજન્સ પાર્ટી (NCP) આગામી સામાન્ય ચૂંટણી માટે જમાત-એ-ઈસ્લામીના નેતૃત્વમાં ગઠબંધનમાં શામેલ થઈ રહી છે. આ ગઠબંધનનું ઔપચારીક એલાન જમાત-એ-ઈસ્લામના અમીર શફીકુર રહેમાએ કર્યું છે, જેની માહિતી બાંગ્લાદેશી મીડિયામાં પ્રગટાવવામાં આવી છે.

NCPની શરૂઆત આ વર્ષે કરવામાં આવી હતી અને આ પાર્ટી વિદ્યાર્થીઓના નેતૃત્વે શરૂ કરવામાં આવી હતી, જેમણે પહેલા શેખ હસીના સરકાર વિરુદ્ધ આંદોલનો ચલાવ્યો હતો. તેમ છતાં, ઈસ્લામિક પાર્ટી સાથે ગઠબંધનનો નિર્ણય કેટલાક મોટા નેતાઓને નારાજ કરી રહ્યો છે. ખાસ કરીને મહિલા નેતાઓએ આ નિર્ણયનો વિરોધ કરતાં રાજીનામા આપવાનું શરૂ કર્યું છે.

પાર્ટી પ્રમુખ ડો. તસનીમ જારા હવે NCP છોડીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. નવા ગઠબંધનના નિર્ણય બાદ કેન્દ્રિય સમિતિના ઘણા નેતાઓએ પણ પક્ષ છોડવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ મુજબ, NCPના 30 નેતાઓએ નાહિદ ઈસ્લામને પત્ર લખીને ગઠબંધનનો વિરોધ કર્યો છે, જ્યારે 170 થી વધુ નેતાઓએ સમર્થન આપ્યું છે.

તાજેતરમાં સંયુક્ત સંયોજક તાજનુવા જબીએ પણ રાજીનામું આપી દીધું છે અને ફેસબુક પોસ્ટમાં પાર્ટીની નીતિગત પ્રક્રિયા અને જમાત સાથે ગઠબંધન બાદ નારાજગી વ્યક્ત કરી છે. 25 ડિસેમ્બરે જ NCPના વરિષ્ઠ નેતા મીર અર્શાદુલ હકે પણ પક્ષ છોડ્યો હતો. છેલ્લાં એક અઠવાડિયામાં અનેક નેતાઓએ NCP છોડ્યા છે, જેના કારણે પાર્ટીમાં રાજકીય અસ્થિરતા વધેલી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઈરાન સમર્થક સંગઠનનો ઈઝરાયલી શસ્ત્ર ફેક્ટરી પર હુમલો, ચેક રિપબ્લિકમાં આગની ઘટના

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે યુરોપમાં પણ તેની અસર જોવા મળી છે. ઈરાનના સમર્થનમાં ઉભેલા “Earthquake Faction” નામના આંતરરાષ્ટ્રીય જૂથે ચેક રિપબ્લિકમાં આવેલી ઈઝરાયલી શસ્ત્રોની ફેક્ટરીમાં આગ લગાવવાનો દાવો…

ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં મોટા પાયે પ્રમોશન: તલાટી વર્ગ 3 અને કારકૂન કર્મચારીઓની એકસાથે બઢતી

ગુજરાતના મહેસૂલ વિભાગમાં વહિવટી સ્તરે મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે અંદાજે 800 કર્મચારીઓને એકસાથે પ્રમોશન આપ્યું છે. આ સાથે, 80 નાયબ મામલતદારોને વિવિધ જિલ્લાઓમાં બદલીના ઓર્ડર પણ…