PM મોદીએ ઝેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામથ સાથે પોડકાસ્ટ ડેબ્યુ કર્યુ, ટ્રેલર રિલિઝ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય ઉદ્યોગ સાહસિક, રોકાણકાર અને સ્ટોક બ્રોકર નિખિલ કામથના પોડકાસ્ટ શો ‘પીપલ બાય WTF’માં આગામી મહેમાન હશે. નિખિલ કામથે ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ X પર પોડકાસ્ટના આ એપિસોડનું બે મિનિટનું ટ્રેલર રિલીઝ કર્યું છે. કામથે પીએમને કહ્યું- હું તમારી સામે નર્વસ થઇ રહ્યો છુંઆ ટ્રેલરનું શીર્ષક “પીપલ વિથ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી, એપિસોડ 6 ટ્રેલર” છે. આ ટ્રેલરમાં પીએમ મોદી અને નિખિલ કામથ વચ્ચેની એક રસપ્રદ વાતચીત બતાવવામાં આવી છે. વીડિયોમાં, કામથ કહે છે, “હું અહીં તમારી સામે બેઠો છું અને વાત કરી રહ્યો છું, મને ગભરાટ થઈ રહ્યો છે. આ મારા માટે ખૂબ જ મુશ્કેલ વાતચીત છે.”

-> પીએમએ કહ્યું- મને ખબર નથી કે દર્શકોને કેવું લાગશે :- આનો જવાબ આપતા, પીએમ મોદી હસતાં હસતાં કહે છે, “આ મારો પહેલો પોડકાસ્ટ છે, મને ખબર નથી કે તમારા પ્રેક્ષકોને તે કેટલું ગમશે.” આ ટ્રેલર પોસ્ટ કરતા, પીએમ મોદીએ લખ્યું, “મને આશા છે કે તમે બધાને આનાથી એટલો જ આનંદ આવશે જેટલો આનંદ તેને તમારા માટે બનાવતી વખતે અમને આવ્યો.. હાલમાં, એપિસોડની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી નથી.

-> અમે રાજકારણ અને ઉદ્યોગસાહસિકતા વચ્ચેના સંબંધને સમજવાનો પ્રયાસ કરીએ છીએ :- પોડકાસ્ટમાં, કામથ તેનો હેતુ સમજાવે છે. આમાં તેઓ કહે છે કે અમે રાજકારણ અને ઉદ્યોગસાહસિકતા વચ્ચેના સંબંધને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેમણે પીએમ મોદી સાથે વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધ વિશે પણ વાત કરી અને પીએમ મોદીએ પણ તેના પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. આ પછી કામથ પીએમને કહે છે કે જ્યારે હું મોટો થઈ રહ્યો હતો, ત્યારે મારા મનમાં રાજકારણ પ્રત્યે ઘણી નકારાત્મકતા હતી. તે પીએમને પૂછે છે કે તમે આને કેવી રીતે જુઓ છો. આ પ્રશ્નનો પીએમએ ખૂબ જ રમુજી જવાબ આપ્યો. પીએમએ કહ્યું, જો તમે હજુ પણ તમારી વાત પર વિશ્વાસ રાખતા હોત તો આજે આપણે આ વાતચીત ન કરતા.

Related Posts

Asian Weightlifting Championships 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, જાણો પૂરી વિગત

ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી Asian Senior Weightlifting Championships 2026 માં ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) શાનદાર પ્રદર્શન…

#Transfer/ 72 IAS ની બદલી, હજુ અનેક ઉચ્ચ સનદી અધિકારીઓની બદલીની શક્યતા

સમય આમુલ પરિવર્તન પાર દર્શક વહીવટનો પાયો કહેવામાં આવે છે. પરિવર્તન સંસારનો નિયમ છે તેવું ગીતામાં કહેવાયુ છે, હા પરિવર્તન અનેક પ્રકારનાં હોય છે જ્યારે વાત વહીવટી તંત્રની હોય. સજા, સરાહના, સંભાવના, સમર્થતા વિગેરે વિગેરે પણ હાલ વાત પરિવર્તન એટલે કે બદલીની છે તો તેના જ ગીત ગાઇ શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *