પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે. કતારના દોહામાં યોજાયેલી વાટાઘાટો દરમિયાન, બંને દેશો તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. આ યુદ્ધવિરામ તુર્કીની મધ્યસ્થી દ્વારા કરવામાં આવ્યો હતો.
કતારે જણાવ્યું હતું કે બંને પક્ષો આગામી દિવસોમાં વધુ બેઠકો યોજવા સંમત થયા છે જેથી યુદ્ધવિરામ ટકાઉ અને યોગ્ય રીતે અમલમાં આવે. પાકિસ્તન અને અફઘાન વચ્ચે સરહદી તણાવ બાદ શાંતિ મંત્રણા કરવાં આવી હતી. આ તણાવમાં બંને દેશના અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. 2021 માં તાલિબાન સત્તામાં આવ્યા પછી આ બંને દેશો વચ્ચેનો સૌથી ગંભીર મામલો બન્યો હતો.
મળતી માહિતી મુજબ, અફઘાન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંરક્ષણ પ્રધાન મુલ્લા મુહમ્મદ યાકુબે કર્યું હતું, જ્યારે પાકિસ્તાન વતી સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાલિબાનના પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં ભાગ લીધો હતો.
અનેક વખત થયું અફઘાન સરહદનું ઉલ્લંઘન
અફઘાન સૂત્રોએ દાવો કર્યો છે કે પાકિસ્તાની સૈન્યએ છેલ્લા ચાર વર્ષમાં 1,200 થી વધુ વખત અફઘાનિસ્તાનની સરહદ અને 710 વખત તેના હવાઈ ક્ષેત્રમાં ઉલ્લંઘન કર્યું છે. કાબુલ પર પાકિસ્તાની હવાઈ હુમલા પછી ગયા અઠવાડિયે લશ્કરી અથડામણો શરૂ થઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે વર્ષોની ધીરજ અને સંયમ પછી, અફઘાનિસ્તાને 11 ઓક્ટોબરના રોજ ડ્યુરન્ડ લાઇન પર પાકિસ્તાની સૈન્ય ચોકીઓ સામે મર્યાદિત બદલો લેવા લશ્કરી કાર્યવાહી શરૂ કરીને આંતરરાષ્ટ્રીય કાયદામાં સમાવિષ્ટ સ્વ-બચાવના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો.
પાકિસ્તાનના હુમલામાં 102 નાગરિકોના મોત
સૂત્રોએ જણાવ્યું હતું કે 2024 ની શરૂઆતથી, હુમલાઓમાં 102 નાગરિકો અને અફઘાન સરહદી રક્ષકો માર્યા ગયા છે અને 139 અન્ય ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચાર વર્ષોમાં, પાકિસ્તાની દળોએ 712 થી વધુ વખત હવાઈ ઉલ્લંઘનો કર્યા છે, આ ઉલ્લંઘનમાં કુનાર, નુરિસ્તાન, , નાંગરહાર, ખોસ્ત અને પક્તિકા પ્રાંતોમાં પ્લેન તથા અને ડ્રોન દ્વારા હુમલાની 16 ઘટનાઓનો પણ સમાવેશ થાય છે, જેમાં 114 પાકિસ્તાની આદિવાસી શરણાર્થીઓ, અફઘાન નાગરિકો અને અફઘાન સરહદી રક્ષકો માર્યા ગયા હતા.
નુરિસ્તાન, નાંગરહાર અને ખોસ્તમાં હવાઈ હુમલા
“ઘણા ઘરો અને દુકાનો નાશ પામી હતી અને નાગરિકોને ભારે જાનહાનિ થઈ હતી,” એક સૂત્રએ જણાવ્યું હતું. સૂત્રોએ દાવો કર્યો હતો કે ડિસેમ્બર 2024 માં, જ્યારે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના ખાસ રાજદૂત સાદિક ખાનના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે કાબુલની મુલાકાત લીધી હતી, ત્યારે ઇસ્લામાબાદના લશ્કરી વિમાનોએ પક્તિયા અને પક્તિકાના અનેક વિસ્તારોમાં બોમ્બમારો કર્યો હતો, જેમાં નાગરિકોના મોત થયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાન વાયુસેનાએ ગયા ઓગસ્ટમાં ત્રણ અફઘાન પ્રાંતો: નુરિસ્તાન, નંગરહાર અને ખોસ્તમાં હવાઈ હુમલા કર્યા હતા.
તેમણે કહ્યું કે પાકિસ્તાનની આ આક્રમક કાર્યવાહીના જવાબમાં, અફઘાનિસ્તાને કોઈ લશ્કરી પ્રતિક્રિયા આપી ન હતી અને માત્ર રાજદ્વારી માધ્યમો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો, છતાં પાકિસ્તાને ઉલ્લંઘન ચાલુ રાખ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં પાકિસ્તાની લડાકુ વિમાનોએ કાબુલના હવાઈ ક્ષેત્રમાં ઉલ્લંઘન કર્યું હતું અને અફઘાનિસ્તાનની રાજધાનીમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






