પહેલગામ આતંકવાદી હુમલો: ભારતે પાકિસ્તાની વિમાનો માટે હવાઈ ક્ષેત્ર કર્યું બંધ

પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારતે બુધવારે એક કડક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારતે 30 એપ્રિલથી 23 મે, 2025 સુધી પાકિસ્તાની વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ રાખવાનું NOTAM (Notice to Air Missions) જારી કર્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે પાકિસ્તાની યાત્રી તેમજ લશ્કરી વિમાનોને ભારતીય હવાઈ વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ પગલું પાકિસ્તાને એક અઠવાડિયા અગાઉ ભારતીય એરલાઇન્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યાના પગલે લેવામાં આવ્યું છે.

શું છે NOTAM?
NOTAM (Notice to Air Missions) એ એક મહત્વપૂર્ણ જહાજરાની માહિતી પ્રણાલી છે, જે પાઇલટ્સ અને એરલાઇન ઓપરેટર્સને હવાઈ પ્રવાસ દરમિયાન આવનારી સંભવિત ચિંતાઓ અંગે જાણ કરી શકે છે. તેમાં હવામાનમાં બદલાવ, લશ્કરી કવાયત, રનવેની સ્થિતિ, પેરાશૂટ જમ્પ અથવા હવાઈ વિસ્તારમાં લાગેલા પ્રતિબંધો જેવી માહિતી સમાવિષ્ટ હોય છે. NOTAM સિસ્ટમ ખૂબ જ સુરક્ષિત હોય છે અને તેને હેક કરવી અત્યંત મુશ્કેલ ગણાય છે.

આંતરરાષ્ટ્રીય અસર
આ નિર્ણયોનો સીધો અસર નાગરિક હવાઈ પરિવહન તેમજ દ્વિપક્ષીય સંબંધો પર પડશે. પાકિસ્તાનના વિમાનોને હવે ભારતમાં આવીને યુરોપ કે દક્ષિણ પૂર્વ એશિયાની ફ્લાઇટ્સ માટે અપનાવાતા શોર્ટ રૂટનો ઉપયોગ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે નહીં. આથી સમય તથા ઈંધણના ખર્ચમાં વધારો થવાની શક્યતા છે.

Related Posts

ભાવનગરના ધરતીપુત્રો માટે ખુશખબર! સમયસરના વરસાદથી ખેતીકામમાં આવ્યો વેગ, જાણો ખેડૂતો શું કહે છે?

ભાવનગર ગ્રામ્યમાં મેઘમહેર: ધોધમાર વરસાદથી ખેતરોમાં હરિયાળી, ધરતીપુત્રોના ચહેરા પર છવાઈ ખુશી! ભાવનગર: છેલ્લા ઘણા સમયથી વરસાદની પ્રતિક્ષા કરી રહેલા ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આજે મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું…

૧૪૯મી રથયાત્રા: અમદાવાદ પોલીસનું ‘ઝીરો ટોલરન્સ’ અભિયાન, સુરક્ષા વ્યવસ્થા સજ્જ.

અમદાવાદ રથયાત્રા ૨૦૨૬: સુરક્ષાનું અભેદ્ય ‘ત્રિ-સ્તરીય’ કવચ, હજારો પોલીસ જવાનો અને આધુનિક ટેકનોલોજી સાથે અમદાવાદ પોલીસ સજ્જ! અમદાવાદ: ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. લાખો ભક્તોની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *