Pahalgam Attack: ધર્મ પૂછ્યો અને મારી ગોળી.. આતંકી હુમલામાં ગુજરાતના ત્રણ નાગરિકોએ ગુમાવ્યો જીવ, જુઓ લિસ્ટ

કાશ્મીરના પહેલગામ શહેર નજીક ‘મીની સ્વિટ્ઝર્લૅન્ડ’ તરીકે ઓળખાતા પર્યટન સ્થળ બૈસરન ખીણમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. 2019 માં પુલવામા હુમલા પછી ખીણમાં આ સૌથી મોટો હુમલો છે. આ હુમલામાં ગુજરાતના ત્રણ લોકોના મોત થયા છે.

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો સાઉદી અરેબિયા પ્રવાસ અધવચ્ચે છોડીને પરત ફર્યા છે. તેમણે એરપોર્ટ પર જ પહેલગામ હુમલા અંગે એક બેઠક યોજી હતી. પીએમ મોદી આજે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ એટલે કે સીસીએસની બેઠક પણ યોજશે. દરમિયાન, આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોની સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવી છે. પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા છે જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. આમાં વિવિધ રાજ્યોના લોકોનો સમાવેશ થાય છે. સૌથી વધુ પ્રવાસીઓ મહારાષ્ટ્રના છે. મૃતકોમાં એક કાશ્મીરી પણ છે.

હુમલામાં માર્યા ગયેલા લોકો
મહારાષ્ટ્ર: 6 પ્રવાસીઓના મોત
ગુજરાત: 3 પ્રવાસીઓના મોત ( ભાવનગર -2, સુરત-1 )
કર્ણાટક: 3 પ્રવાસીઓના મોત
પશ્ચિમ બંગાળ: 2 પ્રવાસીઓના મોત
ઉત્તર પ્રદેશ: 1 પ્રવાસીનું મોત
બિહાર: 1 પ્રવાસીનું મોત
જમ્મુ કાશ્મીર: 1 નું મોત
ઓડિશા: 1 પ્રવાસીનું મોત
મધ્યપ્રદેશ: 1 પ્રવાસીનું મોત
નેપાળ: 1 પ્રવાસીનું મોત
યુએઈ: 1 પ્રવાસીનું મોત

જુઓ લિસ્ટ

4 આતંકવાદીઓએ કર્યો હતો હુમલો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલો ચાર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાંથી બે આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. એક આતંકવાદી આદિલ ગુરી છે જેનો ફોટો પણ સામે આવ્યો છે. આદિલ ગુરી 2018 માં પાકિસ્તાનથી પાછો ફર્યો હતો. બીજા આતંકવાદીની ઓળખ આસિફ શેખ તરીકે થઈ છે. આ બે આતંકવાદીઓ સાથે, હુમલામાં વધુ બે આતંકવાદીઓ સામેલ હતા અને  તે બંને પાકિસ્તાની છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

મહાશિવરાત્રિના પર્વ પર રેતીમાંથી તૈયાર થયેલા રેતશિલ્પ નિહાળશે ભાવિકો, જાણો વિગત

મહાશિવરાત્રિના પર્વના અનુસંધાને સોમનાથમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભક્તિ, ભોજન અને ભજનના આ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા આવતા શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટના સંકલનમાં રહી અને વહીવટી તંત્રની તમામ તૈયારીઓ…

અંકલેશ્વરમાં દુર્લભ વૃક્ષવાસી દેડકાની પ્રજાતીનો શોધ, પર્યાવરણપ્રેમીઓમાં ઉત્સાહ અને ઉત્સુકતા

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ સ્થિત મારુતિ ધામ સોસાયટીના એક મકાનમાંથી દુર્લભ અને અનોખી વૃક્ષ-નિવાસી દેડકાની પ્રજાતિ જોવા મળતા વિસ્તારમાં ચર્ચા અને ઉત્સુકતા ફેલાઈ હતી. સામાન્ય દેડકાથી અલગ દેખાવ અને વર્તન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *