OMG! લ્યો ફરી આવ્યું ટેન્શન; અંબાલાલ પટેલે ફરી કરી છે મોટી આગાહી

દેશ સહિત ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. દેશનાં અનેક શહેરો અભૂતપૂર્વ તાપ અને ગરમીની ઝપેટમાં જોવામાં આવી રહ્યા છે. ગરમીની સાથે સાથે દેશનાં અનેક ભાગોમાં વરસાદે પણ કહેર વહેર્યો છે. ત્યારે ગુજરાતમાં અસહ્ય ગરમીનાં પ્રકોપની સાથે સાથે બીજો પણ પ્રકોર આકાર લેતો હોવાની ચેતવણી રૂપ આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 

ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ યથાવત છે બલકે કહી શકાય કે અતિ જેટલું છે. આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ ગરમ અને સૂકું રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગનાં શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. છેલ્લા આંકડા મુજબ, 42.4 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. સાથે સાથે સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેતા લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે.

ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ યથાવત છે બલકે કહી શકાય કે અતિ જેટલું છે. આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ ગરમ અને સૂકું રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગનાં શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. છેલ્લા આંકડા મુજબ, 42.4 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. સાથે સાથે સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેતા લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે.

આ પણ વાંચો – ભારે ગંભીર બાબત : “પૂનમ ભરવા અંબાજી આવેલા શ્રદ્ધાળુઓની કાર પર પથ્થરમારો”

ગરમી અને તાપનાં પ્રકોપ વચ્ચે ગુજરાતનાં જાણીતા અને ગુજરાતીઓનાં માનીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મહત્વની આગાહી સામે આવી છે. પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગરમીની વચ્ચે જ વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. તેમના જણાવ્યા મુજબ, 6 થી 12 મે દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ પલટો પશ્ચિમી વિક્ષેપનને કારણે સર્જાશે. મે મહિનાના અંતમાં ફરી ગરમી વધશે, પરંતુ જૂનની શરૂઆતમાં વિધિવત વરસાદની શક્યતા પણ પોતાની આગાહીમાં આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચશે અને માટે જ સૌરાષ્ટ્ર માટે કપરા દિવસો આવશે. હવામાન વિભાગના મતે પવનોની દિશા બદલાવાને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે, જેનાથી અસહ્ય ઉકળાટ અનુભવાશે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. ખાસ કરીને રાત્રિના સમયે પણ ગરમ પવનો ફૂંકાવાને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળવાની આશા ઓછી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો – અધધધ કરોડનો દારૂ જપ્ત, પણ ગુજરાતમાં હાલ ચાલી રહ્યા છે “બુટલેગરોનાં અચ્છે દિન”

સૌરાષ્ટ્રનાં પાટનગર ગણાતા રાજકોટ માટે મનપા દ્વારા ગરમીને લઈ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાએ નાગરિકો માટે હેલ્થ એડવાઈઝરી બહાર પાડી છે. તંત્ર દ્વારા લોકોને બપોરે 1થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા અને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે લીંબુ શરબત, તરબૂચ અને ટેટી જેવા ફળોનું સેવન કરવા સૂચન કરવામાં આવ્યું છે. શ્રમિકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને બપોરના સમયે કામ ન કરાવવા પણ સૂચના અપાઈ છે.

#Ambalal_Patel #weather #forecast #OMG #Rain #tension #Gujarat #big_prediction #Heat

Follow us on

  • Related Posts

    હિમાચલમાં ચોમાસાનો કહેર: કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જતાં યુવતીનું મોત

    હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ ફરી એકવાર ભારે તબાહી મચાવી છે. ગુરુવાર સાંજથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવનને અસર પહોંચાડી છે. કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-05 સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જ્યારે ચંબા જિલ્લામાં નાળામાં તણાઈ જવાથી 19 વર્ષીય યુવતીનું કરુણ મોત થયું છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર કાટમાળ જમા થયો છે, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતાં વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક ભારે વરસાદ બાદ મોટું ભૂસ્ખલન થયું હતું. પહાડ પરથી મોટા પથ્થરો અને કાટમાળ સીધા NH-05 પર આવી પડતાં માર્ગ સંપૂર્ણપણે…

    BRICS સમિટ માટે દિલ્હીમાં ભેગા થશે વિશ્વના મોટા નેતાઓ, પુતિન અને જિનપિંગની મુલાકાત પર નજર

    BRICS સમિટ માટે ભારત આગામી સપ્ટેમ્બરમાં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કૂટનીતિક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. નવી દિલ્હીમાં યોજાનારી BRICS શિખર બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના પ્રતિનિધિમંડળની હાજરીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા તણાવ, મિડલ ઈસ્ટની સ્થિતિ અને અમેરિકા સાથે વિવિધ દેશોના મતભેદ વચ્ચે આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. BRICS સમિટ માટે ભારત 12 અને 13 સપ્ટેમ્બરના રોજ BRICS શિખર સંમેલનની યજમાની કરશે. આ બેઠકમાં વિશ્વની ઉभरતી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એકત્રિત થશે અને વૈશ્વિક અર્થતંત્ર, વેપાર, સુરક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. BRICS સમિટ માટે શી જિનપિંગની ભારત યાત્રા પર સૌની નજર BRICS સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ…