અધધધ કરોડનો દારૂ જપ્ત, પણ ગુજરાતમાં હાલ ચાલી રહ્યા છે “બુટલેગરોનાં અચ્છે દિન”

  • સુરેન્દ્રનગર ગ્રામ્યમાંથી ઝડપાયો અધધધ વિદેશી દારૂ
  • કાનપુરની સીમમાંથી ગેરકાયદેસર ઈંગ્લિશ દારૂ ઝડપાયો
  • ટ્રકમાં ઘાસની આડમાં કરોડોનો દારૂ લઈ જવાતો હતો
  • આકસ્મિક રેડમાં ₹1.07 કરોડનો મુદ્દામાલ કબજે
  • રેડ દરમિયાન તમામ આરોપી ફરાર, શોધખોળ શરૂ
  • પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી
  • મોડી રાત્રે પેટ્રોલિંગમાં સાયલા પોલીસને મોટી સફળતા

ગુજરાતમાં આમતો અચ્છે દિન તમામનાં આવ્યા છે તેવો જો કે દાવો છે. કદાચ સાચો પણ હશે કારણ કે ટાંકણીથી માંડીને ટેકનોલોજી સુધીનાં ભાવમાં અચ્છે દિન દેખાય જ છે. પેટ્રોલ-ડિઝલ હોય કે શાકભાજીનાં ભાવ અચ્છે દિનનાં ગવાહ છે. પણ હાલનાં સમયમાં ગુજરાતમાં બુટલેગરોનાં પણ અચ્છે દિન આવ્યા જેવો ક્યાસ જોવામાં આવી રહ્યો છે. ગુજરાતની નિષ્ઠાવાન અને કર્મઠ પોલીસ રાજ્યમાંથી રોજ કરોડો રુપીયાનો વિદેશી દારૂ ઝડપે છે અને આટલા અધધધ કરોડનો દારુ રોજબરોજ ઝડપાતો હોવા છતા પણ ગુજરાતમાં બુટલેગરોનાં પેટનું જાણે પાણી પણ નથી હલતું તેવું પ્રતિત થાય છે. કારણ કે આટલો દારૂ પકડાય જવા છતા બુટલેગરો રોજ કરોડોનો દારુ ઠલવતા હશે ત્યારે જ આ વેપલો પોશાય તે સ્વાભાવિક અને સામાન્ય માણસને સમજાય તેવી વાત છે. આ ચર્ચાનો વિષય ઉપસ્થિતિ થવાનું કારણ પણ આવું જ છે.

આ પણ વાંચો – ગુજરાતની તિજોરી એપ્રિલમાં છલકાઈ: GST આવકમાં 44%નો રેકોર્ડ ઉછાળો

ગુજરાતનાં સુરેન્દ્રનગર જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તામાંથી અધધધની કિંમતનો વિદેશી દારૂ પોલીસે ઝડપ્યો છે. જી હા, જીલ્લાનાં કાનપુર ગામની સીમમાંથી ગેરકાયદેસર ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો છે. ટ્રકમાં ઘાસની આડમાં કરોડોનો વિદેશ દારૂ લઈ જવાતો હતો. પોલીસની આકસ્મિક રેડમાં ₹1.07 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રેડ દરમિયાન તમામ આરોપી ફરાર થઇ જવા પામ્યા છે(કદાચ અચ્છે દિન હશે) પણ પોલીસ શોધખોળ કરી રહી છે. જેમ લાખો ફરાર આરોપીની શોધ શરૂ છે. પોલીસ દ્વારા પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કહી શકાય કે સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલાની પોલીસને મોડી રાત્રે પેટ્રોલિંગમાં આકસ્મિક પણ ખૂબ મોટી સફળતા મળી છે.

Follow us on

#Liquor, #seized, #good_days_for_bootleggers #Gujarat #bootleggers #Gujarat_Police

  • Related Posts

    હિમાચલમાં ચોમાસાનો કહેર: કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જતાં યુવતીનું મોત

    હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ ફરી એકવાર ભારે તબાહી મચાવી છે. ગુરુવાર સાંજથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવનને અસર પહોંચાડી છે. કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-05 સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જ્યારે ચંબા જિલ્લામાં નાળામાં તણાઈ જવાથી 19 વર્ષીય યુવતીનું કરુણ મોત થયું છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર કાટમાળ જમા થયો છે, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતાં વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક ભારે વરસાદ બાદ મોટું ભૂસ્ખલન થયું હતું. પહાડ પરથી મોટા પથ્થરો અને કાટમાળ સીધા NH-05 પર આવી પડતાં માર્ગ સંપૂર્ણપણે…

    BRICS સમિટ માટે દિલ્હીમાં ભેગા થશે વિશ્વના મોટા નેતાઓ, પુતિન અને જિનપિંગની મુલાકાત પર નજર

    BRICS સમિટ માટે ભારત આગામી સપ્ટેમ્બરમાં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કૂટનીતિક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. નવી દિલ્હીમાં યોજાનારી BRICS શિખર બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના પ્રતિનિધિમંડળની હાજરીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા તણાવ, મિડલ ઈસ્ટની સ્થિતિ અને અમેરિકા સાથે વિવિધ દેશોના મતભેદ વચ્ચે આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. BRICS સમિટ માટે ભારત 12 અને 13 સપ્ટેમ્બરના રોજ BRICS શિખર સંમેલનની યજમાની કરશે. આ બેઠકમાં વિશ્વની ઉभरતી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એકત્રિત થશે અને વૈશ્વિક અર્થતંત્ર, વેપાર, સુરક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. BRICS સમિટ માટે શી જિનપિંગની ભારત યાત્રા પર સૌની નજર BRICS સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ…