પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નહીં: સર્વપક્ષીય બેઠકમાં સરકારનો વિશ્વાસ, હોર્મુઝથી જહાજો ભારત તરફ રવાના

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે દેશવાસીઓને રાહત આપતા જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી અને પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે. આ માહિતી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી સર્વપક્ષીય બેઠક દરમિયાન આપવામાં આવી હતી. લગભગ દોઢ કલાક ચાલેલી આ બેઠકમાં સરકારે વિપક્ષના તમામ પ્રશ્નોના જવાબ આપતા સ્પષ્ટ કર્યું કે પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે અને ઊર્જા સંસાધનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

હોર્મુઝથી ભારત તરફ જહાજો રવાના
સરકાર દ્વારા જણાવાયું કે હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાંથી ભારતના 4 જહાજો પહેલેથી જ રવાના થઈ ચૂક્યા છે, જ્યારે અન્ય ઘણા જહાજો પણ ટૂંક સમયમાં ભારત તરફ આવવાના છે. આ વિકાસને ભારત માટે મહત્વપૂર્ણ રાજદ્વારી અને વ્યૂહાત્મક સફળતા તરીકે જોવામાં આવી રહ્યો છે.

બેઠકમાં કોણ કોણ હાજર રહ્યા?
આ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી એસ. જયશંકર, પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી તેમજ સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

વિપક્ષે પણ આપ્યો સમર્થન
બેઠક બાદ કિરેન રિજિજુએ જણાવ્યું કે તમામ રાજકીય પક્ષોએ આ સંવેદનશીલ પરિસ્થિતિમાં સરકારને સંપૂર્ણ સમર્થન આપવાનો વિશ્વાસ આપ્યો છે. જોકે, કેટલીક પાર્ટીઓએ બેઠક મોડેથી બોલાવવામાં આવી હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પર નજર
સરકારે વિપક્ષને ખાતરી આપી કે મિડલ ઈસ્ટની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.નરેન્દ્ર મોદી દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી વાતચીતમાં પણ “યુદ્ધ નથી ઇચ્છતા” એવો સંદેશ આપવામાં આવ્યો હોવાનું જણાવાયું.

વિપક્ષના સવાલો અને સરકારનો જવાબ
વિપક્ષે LPG, પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ઊભા થયેલા અહેવાલો પર ચિંતા વ્યક્ત કરી હતી. તેના જવાબમાં સરકારે સ્પષ્ટ કર્યું કે દેશમાં કોઈ વાસ્તવિક અછત નથી અને પુરવઠો સામાન્ય રીતે ચાલુ છે. કેટલાક વિપક્ષી નેતાઓએ વડાપ્રધાનની બેઠકમાં ગેરહાજરી મુદ્દે સવાલ ઉઠાવ્યા, જ્યારે સરકારે તેને રાજકીય મુદ્દો બનાવવાનો વિરોધ કર્યો.

એકજૂટ રહેવાનો સંદેશ
આ કટોકટીના સમયમાં તમામ રાજકીય પક્ષોએ એક સાથે રહી દેશના હિતમાં કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. સરકાર અને વિપક્ષ વચ્ચે વ્યૂહાત્મક મુદ્દાઓ પર સહમતિ બનાવવાનો પ્રયાસ આ બેઠકમાં જોવા મળ્યો.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

રામ નવમી 2026: જાણો તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

હિંદુ ધર્મનો પવિત્ર તહેવાર રામ નવમી દેશભરમાં ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસ Lord Ramaના જન્મોત્સવ તરીકે ઉજવાય છે, જેને ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે.…

ઈરાનનો યુએસએસ અબ્રાહમ લિંકન પર હુમલો, પરિસ્થિતિ વધુ તીવ્ર

ઈરાનના સેનાએ યુએસના એરક્રાફ્ટ કેરિયર USS Abraham Lincolnને निशાન બનાવીને ફાયર કરાયેલા ક્રુઝ મિસાઈલના હુમલાનો દાવો કર્યો છે. ઇરાનના નૌકાદળના કમાન્ડરે અમેરિકાને ચેતવણી આપી છે કે, જો યુએસએસ અબ્રાહમ લિંકન…