ગુરુને ગુરુદક્ષિણામાં મળ્યો દગો: પંકજ દેસાઈના પુત્રની શરમજનક કરતૂત!

પંકજ મકવાણા – અમદાવાદ,
રાજકોટ: ભારતીય સંસ્કૃતિમાં ગુરુ અને શિષ્યના સંબંધને પવિત્ર માનવામાં આવે છે, પણ રાજકોટમાં એક કળયુગી શિષ્યએ આ મર્યાદાના લીરેલીરા ઉડાવ્યા છે. જે હાથે ક્યારેક પાટી-પેન પકડાવી હતી, એ જ હાથોમાં આજે પોલીસની હથકડી પહેરાવવાનો વારો આવ્યો છે. પોતાની જ પૂર્વ શિક્ષિકાને પ્રેમજાળમાં ફસાવી, દોઢ વર્ષ સુધી પત્નીની જેમ રાખી, લાખો રૂપિયા પડાવીને છેલ્લે “તમે કોણ છો?” કહી તરછોડી દેનાર ધ્રુવલ પંકજભાઈ દેસાઈની કરતૂત જાણીને તમે પણ ફીટકાર વર્ષાવશો.

સોશિયલ મીડિયાથી શરૂ થઈ ‘શિકાર’ કરવાની રમત!
વાતની શરૂઆત થાય છે જૂન 2024માં. 2012માં ધોરણ 10માં અભ્યાસ કરતો ધ્રુવલ દેસાઈ અચાનક ફેસબુક પર પોતાની પૂર્વ શિક્ષિકાનો સંપર્ક કરે છે. શિક્ષિકા ડિવોર્સી છે અને એકલી રહે છે તેની જાણ થતા જ ધ્રુવલે ‘લગ્નની લાલચ’નું એવું માયાવી જાળ બિછાવ્યું કે શિક્ષિકા તેમાં ફસાઈ ગઈ. 12 વર્ષ નાના શિષ્યએ ગુરુ સામે પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો અને શરૂ થયો અત્યાચારનો દોર.

થાઈલેન્ડની સફર અને ‘પત્ની’ જેવો વ્યવહાર: માત્ર એક દેખાડો?
ધ્રુવલની ચાલાકીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે દિવસમાં ત્રણ વાર શિક્ષિકાના ઘરે જતો હતો. તેમને ચારધામની યાત્રા કરાવી, 10 દિવસ માટે થાઈલેન્ડ લઈ ગયો અને પડોશીઓ ખબર ન પડે તેમ અને ભોગ બનનારના પરિવારને‘પત્ની’ની જેમ ટ્રીટ કરતો રહ્યો. આટલું ઓછું હોય તેમ, વિદેશમાં સ્થાયી થવાના બહાને શિક્ષિકાની નોકરી પણ છોડાવી દીધી.

“જેના પર ભરોસો મૂકીને ઓસ્ટ્રેલિયા જવાના સપના જોયા, તે જ શિષ્યએ ગુરુની જિંદગીને નરક બનાવી દીધી.”

PF ના પૈસા અને સોનું પણ સ્વાહા: 7 લાખની છેતરપિંડી:
પ્રેમમાં આંધળી બનેલી શિક્ષિકાએ ધ્રુવલને પોતાના પીએફ (PF) ના અઢી લાખ, રોકડા બે લાખ અને સોના-ચાંદીના દાગીના વેચીને કુલ 7 લાખ રૂપિયાની મદદ કરી. ધ્રુવલ દેસાઈ, જે અમૂલ પાર્લર ચલાવે છે, તેણે આ પૈસા ધંધામાં ખોટના બહાને ખંખેરી લીધા હતા.

ભાંડો ફૂટ્યો અને બદલાઈ ગયો મિજાજ:
પાપનો ઘડો ત્યારે ભરાયો જ્યારે ધ્રુવલની સગાઈ અન્ય યુવતી સાથે થઈ ગઈ હોવાની જાણ શિક્ષિકાને થઈ. જ્યારે શિક્ષિકાએ લગ્નનું દબાણ કર્યું, ત્યારે માર્ચ 2025માં સગાઈ કરી લેનાર ધ્રુવલે ડિસેમ્બર સુધી સંબંધ ચાલુ રાખ્યા અને છેલ્લે મોઢું ફેરવી લીધું. જે શિક્ષિકાના ઘરે રાતો વિતાવતો હતો, તેને પોતાની દુકાને જોઈને કહેવા લાગ્યો “હું તમને ઓળખતો નથી, તમે કોણ છો? અહીંથી નીકળો!”

પોલીસની ભૂમિકા સામે સવાલો: 2.5 મહિના સુધી કેમ થઈ ઢીલ?
આ સમગ્ર કેસમાં ગાંધીગ્રામ પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં છે. પીડિતાએ જાન્યુઆરી 2026માં અરજી આપી હોવા છતાં, પોલીસે ગુનો નોંધવામાં અઢી મહિનાનો સમય કાઢી નાખ્યો. તપાસના નામે પીડિતાને ધક્કા ખવડાવવામાં આવ્યા, જે રાજકોટ પોલીસની ગંભીર બેદરકારી સૂચવે છે.

મુખ્ય મુદ્દાઓ:
– આરોપી: ધ્રુવલ પંકજભાઈ દેસાઈ (રાજકોટ).
– ગુનો: લગ્નની લાલચ આપી દુષ્કર્મ અને લાખોની છેતરપિંડી.
– ફરિયાદમાં નોંધાયેલી કલમો: BNS ની કલમ 64(2)(M), 69, 316(2) હેઠળ ગુનો દાખલ.
– વિગત: 12 વર્ષ નાના પૂર્વ વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરી રમત આદરી!

હવે જોવાનું એ રહે છે કે, શું કાયદો આ કળયુગી શિષ્યને કડકમાં કડક સજા અપાવશે? અને શું પીડિતાને તેના હકના નાણાં પરત મળશે?

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    Kankaria : પિકનિક હાઉસ અને ઓડિટોરિયમનું રિડેવલપમેન્ટ: બનશે આધુનિક બિલ્ડિંગ 2026 Superb Facility.

    અમદાવાદમાં કાંકરિયા પિકનિક હાઉસ અને ઝુલેલાલ ઓડિટોરિયમનું રિડેવલપમેન્ટ: 57 વર્ષ જૂની ઈમારતની જગ્યાએ બનશે આધુનિક મલ્ટિ-સ્ટોરી બિલ્ડિંગ Kankaria  અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં 57 વર્ષ જૂના પિકનિક હાઉસ અને સાઈ ઝુલેલાલ ઓડિટોરિયમનું રિડેવલપમેન્ટ કરવામાં આવશે. AMC દ્વારા આધુનિક મલ્ટિ-સ્ટોરી બિલ્ડિંગ, મોટો કોમ્યુનિટી હોલ અને નવું ઓડિટોરિયમ બનાવવાની યોજના તૈયાર કરાઈ છે. Kankaria માં 57 વર્ષ જૂની ઈમારતનું થશે કાયાકલ્પ અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં શહેરના જૂના અને જાણીતા પિકનિક હાઉસ તથા સાઈ ઝુલેલાલ ઓડિટોરિયમનું રિડેવલપમેન્ટ કરવાની દિશામાં મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષો જૂની આ ઈમારતોને તોડીને તેના સ્થાને આધુનિક સુવિધાઓથી સજ્જ નવી મલ્ટિ-સ્ટોરી બિલ્ડિંગ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે.લગભગ 57 વર્ષ જૂના પિકનિક હાઉસના માળખાને આધુનિક સમયની જરૂરિયાતો પ્રમાણે બદલવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને…

    GUJRAT : ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી 2026 Monsoon Magic

    GUJRAT ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: આગામી 24 કલાકમાં પંચમહાલ, દાહોદ સહિત ચાર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 13 ઓગસ્ટ બાદ ઘટશે જોર GUJRAT : ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગરમાં વરસાદની શક્યતા છે. 13 ઓગસ્ટ બાદ વરસાદનું જોર ઘટવાની આગાહી. ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન ફરી એકવાર વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગર સહિતના વિસ્તારોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી શકે છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ વચ્ચે હવે કેટલાક જિલ્લાઓમાં ભારે…