કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ છેલ્લાં કેટલાક દિવસોથી તેમના વિરુદ્ધ ચાલતી ટીકા અને આરોપો સામે પોતાનું મૌન તોડ્યું છે. ઈથેનોલ ભેળવણી નીતિએ કેટલાક નફાકારક સમૂહોને નારાજ કર્યા હોવાના દાવા સાથે ગડકરીએ જણાવ્યું કે તેમના વિરુદ્ધ “પેઇડ ન્યૂઝ કેમ્પેઈન” ચલાવવામાં આવી રહ્યો છે.
શું છે સમગ્ર મામલો?
હાલના સમયમાં ભારત સરકારે પેટ્રોલમાં 20% ઇથેનોલ (E20) ભેળવવાની યોજના શરૂ કરી છે. આ પગલું ઇંધણ આયાત ઘટાડવા, પ્રદૂષણ ઘટાડવા અને ખેડૂતને ઉર્જા ઉત્પાદક બનાવવાનો પ્રયાસ છે. પરંતુ કેટલાક અહેવાલો અને રાજકીય પક્ષોએ આ પગલાં પાછળ “ગડકરીના પરિવારના નફાકારક હિતો” હોવાનો આરોપ લગાવ્યો છે.
ગડકરીનો સ્પષ્ટ જવાબ
“લોકો ફળ આપતા ઝાડ પર પથ્થર ફેંકે છે. હું આવા તૂંછી આરોપોને અવગણું છું. મારી નીતિઓ આયાત લોબીની દશકોથી ચાલી આવેલી સગવડતાને પડકારતી હતી, તેથી આ બધા વિરોધ છે.”
નીતિન ગડકરી
તેમણે જણાવ્યું કે તેમની ઇથેનોલ નીતિના કારણે ક્રૂડ તેલના આયાતકર્તા અને કેટલાક ઉદ્યોગપતિઓના વ્યાપાર પર અસર પડી છે. “આવી લોબી મારું નામ ખરાબ કરવા માટે પેઇડ ન્યૂઝ પ્રસિદ્ધ કરે છે,” એમ પણ તેમણે ઉમેર્યું.
તેમના પુત્ર વિશે ઉઠેલા સવાલો
ગડકરીના પુત્ર નિખિલ ગડકરીની કંપની CIAN એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, જે ઇથેનોલ ઉત્પાદનમાં સંકળાયેલી છે, તેના નફામાં ઝડપથી થયેલી વૃદ્ધિ અંગે ચર્ચા ચાલી રહી છે. જો કે, નીતિન ગડકરીએ તમામ આરોપોને “મૂળભૂત વિરુદ્ધ પ્રચાર” ગણાવ્યો છે અને જણાવ્યું કે “મેં ક્યારેય કોઈ કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા લીધા નથી. મારી રાજકીય કારકિર્દી વિવાદમુક્ત રહી છે.”
ગડકરીએ સ્પષ્ટપણે જણાવ્યું કે તેઓ પર લગાવાયેલા તમામ આરોપો “રાજકીય રૂપથી પ્રેરિત અને નાણાકીય હિતો ધરાવતી લોબીઓ” દ્વારા ચાલાવાયેલી પ્રવૃતિ છે. તેમણે એમ પણ જણાવ્યું કે તેઓ તેમની નીતિઓ પર કામ ચાલુ રાખશે અને ભવિષ્યમાં પણ “પારદર્શિતા અને વિકાસ” માટે કામ કરતું રહેશે.








