નેપાળનો વિરોધ: ‘Lipulekh Pass અમારો છે’, કૈલાશ માનસરોવર યાત્રા મુદ્દે તણાવ વધ્યો

નેપાળએ કૈલાશ માનસરોવર યાત્રા માટે ઉપયોગમાં લેવાતા લિપુલેખ પાસ મુદ્દે ભારત અને ચીન સામે સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે. નેપાળ સરકારનું કહેવું છે કે લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા તેના બંધારણીય નકશાનો અભિન્ન ભાગ છે.

વિદેશ મંત્રાલયનો કડક વિરોધ
નેપાળના વિદેશ મંત્રાલયે બંને દેશોને મોકલેલા પત્રમાં કૈલાશ માનસરોવર યાત્રાના નવા રૂટ અંગે વાંધો ઉઠાવ્યો છે. સરકારના પ્રવક્તા લોક બહાદુર પૌડિયાલ છેત્રીએ જણાવ્યું કે આ વિસ્તારમાં કોઈ પણ ત્રીજા પક્ષની પ્રવૃત્તિ નેપાળ માટે સ્વીકાર્ય નથી.

સર્વપક્ષીય સંમતિથી નિર્ણય
વિદેશ મંત્રી શિશિર ખાનલએ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય દેશના તમામ મુખ્ય રાજકીય પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવ્યો છે. 2020માં બહાર પાડવામાં આવેલા નવા નકશામાં નેપાળે આ વિસ્તારોને પોતાના ભાગ તરીકે દર્શાવ્યા છે, જેને ભારત સ્વીકારતું નથી.

વ્યૂહાત્મક અને ધાર્મિક મહત્વ
કૈલાસ માનસરોવર યાત્રા માટે લિપુલેખ પાસ ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ માર્ગ દ્વારા શ્રદ્ધાળુઓને તિબેટમાં સ્થિત પવિત્ર સ્થળે પહોંચવામાં સરળતા રહે છે. ભારત સરકારે આ માર્ગ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે અનેક પગલાં લીધા છે.

ત્રિપક્ષીય સમીકરણમાં નેપાળની માંગ
નેપાળે ચાઈના સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી છે અને માંગ કરી છે કે કોઈપણ ત્રિપક્ષીય વ્યવસ્થામાં તેને સામેલ કરવામાં આવે. વધતા રાષ્ટ્રવાદ અને કડક વલણને કારણે આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

 

 

  • Related Posts

    NEET-UG પરીક્ષા માટે ગુજરાતમાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા, DGPએ તૈયારીઓની કરી સમીક્ષા

    આગામી 21 જૂને યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG)ને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા…

    મુંબઈ-પુણે વચ્ચે દોડશે બુલેટ ટ્રેન, માત્ર 48 મિનિટમાં પૂર્ણ થશે 170 કિમીની મુસાફરી

    દેશમાં હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણને લઈને કેન્દ્ર સરકાર મોટા પગલાં ભરી રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ જાહેરાત કરી છે કે આગામી વર્ષથી મુંબઈ-પુણે બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણ કાર્યની…