Morbi : હળવદ તાલુકામાં નર્મદા કેનાલમાં યુવાન ડૂબ્યો, સર્ચ ઓપરેશન શરૂ

રમેશ ઠાકોર, મોરબી/ હળવદ તાલુકાના કોઈબા ગામના પાટીયાથી આગળ આવેલી નર્મદા કેનાલમાં અદાણી પાવર લાઈનના કામમાં સંકળાયેલા એક યુવાન કામદાર ડૂબી ગયો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા સ્થાનિક તંત્ર, પોલીસ તથા બચાવ ટીમ દ્વારા તાત્કાલિક શોધખોળ કામગીરી શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ અદાણી પાવર લાઈનના કામ માટે આવેલા કામદારો રહેતા રૂમ પર ટોયલેટની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે યુવાન પાણી ભરવા માટે નર્મદા કેનાલમાં ઉતર્યો હતો. આ દરમિયાન અચાનક પગ લપસતા અથવા કેનાલના તેજ પ્રવાહમાં ફસાતા તે પાણીમાં ડૂબી ગયો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

યુવક પરપ્રાંતીય હોવાની વિગત આવી સામે
ડૂબી ગયેલો યુવાન બિહાર રાજ્યનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત તંત્રની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. હાલ કેનાલમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ સમાચાર લખાય ત્યાં સુધી યુવાનનો કોઈ પત્તો લાગ્યો નથી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

“મારી ખેતી મારૂ ગર્વ” – “B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” | PROMO

ગુજરાતના ખમિરવંતા ખેડૂતોના પરિશ્રમને પારિતોષીત કરવા માટેની B-India Newsની અનોખી પહેલ…. અમે કરી રહ્યા છીએ ગુજરાતના પ્રગતિશીલ અને નવીનતા લાવનાર ખેડૂતોને વિશેષ રીતે સન્માનીત કરવાનો વિનમ્ર પ્રયાસ… “B-India કૃષિ રત્ન…

ચૈત્ર નવરાત્રી 2026: આજ નવરાત્રીનો બીજો દિવસ, કરો માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો પૂજન વિધિ

ચૈત્ર નવરાત્રી નવ દિવસોનું પવિત્ર હિંદુ તહેવાર છે, જેમાં મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ દેવીના એક વિશેષ સ્વરૂપને સમર્પિત હોય છે. નવરાત્રી 2026 ના બીજા…