મોહન ભાગવતનું નિવેદન: “ઘરના એક રૂમ પર કબજો કરી લીધો છે, તેને પાછો લેવો પડશે”

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સર સંઘચાલક મોહન ભાગવતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અંગે મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે PoKને ભારતના ઘરના એક “રૂમ” તરીકે સંબોધતા જણાવ્યું કે કોઈએ તે રૂમ પર કબજો કર્યો છે અને હવે તેને પાછો લેવાનો સમય આવી ગયો છે.

ભીડમાં તાળીઓની ગૂંજ વચ્ચે ભાગવતના આ નિવેદનને વિશાળ સમર્થન મળ્યું હતું.”અખંડ ભારતના ભાવે – કબજાયેલો રૂમ પાછો લઈશું” મોહન ભાગવત મધ્યપ્રદેશના સતનામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું,”આખું ભારત એક ઘર છે. અમારા ઘરના એક રૂમમાં કોઈએ કબજો કર્યો છે. મારું ટેબલ, ખુરશી અને કપડાં ત્યાં છે. હવે સમય આવશે જ્યારે આપણે તે રૂમ પાછો લઈ લેવો પડશે.”

તેઓએ આ નિવેદન સાથે એ પણ ઉમેર્યું કે વિભાજન વખતે સંજોગોએ લોકોને ભારતમાં રહેવા મજબૂર કર્યા, પણ PoK અને ભારત અલગ નથી – બંને અવિભાજિત ભારતના હિસ્સા છે.

PoKમાં ઉથલપાથલ
મોહન ભાગવતનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સરકાર વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. PoKમાં લોકો “આવામી એક્શન કમિટી” (AAC)ના બેનર હેઠળ મોટા પાયે રસ્તા પર ઉતરી આવ્યા છે. વિરોધની મુખ્ય માંગો છે: જીવન જરૂરિયાતોના ભાવ ઘટાડવા, સબસિડી, અને રાજકીય સ્વતંત્રતા. છેલ્લા ત્રણ દિવસમાં 10 લોકોના મોત થયા છે અને 100થી વધુ ઘાયલ થયા છે. ધીરકોટ, મુઝફ્ફરાબાદ, દદ્યાલ અને અન્ય શહેરોમાં પાકિસ્તાની સુરક્ષા દળો અને પ્રદર્શનકારો વચ્ચે તણાવ ઊભો થયો છે. સૌથી ગંભીર ઘટના ધીરકોટમાં બની, જ્યાં પાકિસ્તાની સૈનિકોએ ચાર વિરોધકારીઓને ગોળી મારી હત્યા કરી હતી.

રાજકીય પ્રતિક્રિયાઓ અને આંતરરાષ્ટ્રીય નજર
મોહન ભાગવતના નિવેદનને કેટલીક રાજકીય પાર્ટીઓ દ્વારા રાષ્ટ્રીય ભાવનાનું પ્રતિબિંબ ગણાવવામાં આવ્યું છે, જ્યારે બીજી તરફ વિપક્ષે તેને યુદ્ધપ્રવૃત્તિશીલ ભાષા ગણાવી કટાક્ષ કર્યો છે. ત્યારે PoKની હાલતને લઈ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે, ખાસ કરીને માનવ અધિકાર ઉલ્લંઘનના મામલે.

PoK માત્ર વિવાદિત નથી, ભારતનો અભિન્ન હિસ્સો છે – મોહન ભાગવત
RSS વડાનું નિવેદન એ સ્પષ્ટ સંકેત આપે છે કે PoK બાબતે ભારતનું દૃષ્ટિકોણ માત્ર ઐતિહાસિક હક પર નહીં પરંતુ ભાવનાત્મક અને રાષ્ટ્રીય અગત્યતા પર આધારિત છે.

Related Posts

બજેટ પર પીએમ મોદીનું પહેલું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું

ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે લોકસભામાં દેશનું સામાન્ય બજેટ 2026 રજૂ કર્યું. આ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ અને નાણામંત્રી નિર્મલા સીતારમણનું નવમું બજેટ છે. બજેટ રજૂ કરતી વખતે…

Budget 2026 : ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે! લિથિયમ-આયન સેલ પર કસ્ટમ ડ્યુટી મામલે કરી મોટી જાહેરાત

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2026-27 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ તેમનું સતત નવમું બજેટ છે. ઓટોમોટિવ ઉદ્યોગને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહન (EV) ઉત્પાદકો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *