મોહમ્મદ શમી: ટેસ્ટ નિવૃત્તિના ખોટા સમાચાર પર ફાટી પડ્યો બોલર, કહ્યું – મેં હજુ રમવાનું બંધ કર્યુ નથી!

ભારતીય ક્રિકેટ ફેન્સ માટે છેલ્લો અઠવાડિયો લાગાતાર મોટાં સમાચાર સાથે ભરેલો રહ્યો છે. પહેલા 7 મેના રોજ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી અને ત્યારબાદ 12 મેના રોજ વિરાટ કોહલીએ પણ પોતાના ટેસ્ટ કરિયરનો અંત જાહેર કર્યો. આ બંને દિગ્ગજોના નિર્ણયથી ભારતના ટેસ્ટ ક્રિકેટ ભવિષ્ય અંગે ચર્ચા ગરમ બની છે.

આ વચ્ચે કેટલાક મીડિયા હાઉસેઝે એવી ખોટી અફવા ફેલાવી કે મોહમ્મદ શમી પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે. આ ખોટી માહિતીથી શમી ખૂબ નારાજ થયો અને તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મારફતે સ્પષ્ટ જવાબ આપ્યો કે તેઓ હજુ નિવૃત્ત થયેલા નથી અને આવી ખોટી અફવાઓ ન ફેલાવવામાં આવે.

શમીનો તીખો પ્રહાર
મોહમ્મદ શમીએ પોતાની સ્ટોરીમાં લખ્યું: “મને મારા રિટાયરમેન્ટ વિશે ખબર નહિ અને તમારા જેવા ન્યૂઝ પોર્ટલ્સને મારી જગ્યાએ ખબર પડી ગઈ? લોકોના જીવ અને ઇમોશન્સ સાથે ન રમો. જો ખબર ન હોય તો દયા કરીને ખોટું છાપશો નહિ. મારા મોઢેથી બહાર ન આવ્યું હોય તો કંઈ પણ ન માનો.”

Related Posts

T20 વર્લ્ડ કપ જીત્યા પછી શા માટે ટ્રેનમાં મુંબઈ પહોંચ્યા શિવમ દુબે? જાણો સંપૂર્ણ કારણ

T20 વર્લ્ડ કપ 2026 જીત્યા પછી જ્યાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યાં ઓલરાઉન્ડર Shivam Dube એ એક એવો નિર્ણય લીધો જે સૌને આશ્ચર્યમાં મૂકી દેતો હતો. અમદાવાદથી મુંબઈ…

BCCI ના એક નિર્ણયથી જસપ્રીત બુમરાહને પડ્યો મોટો ફટકો ! થયું 2 કરોડનું નુકસાન ; જાણો વિગત

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના નિર્ણયને કારણે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ₹2 કરોડનું નુકસાન થયું છે. BCCI એ ફેબ્રુઆરીમાં આ નિર્ણય લીધો હતો. આ નિર્ણય સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સાથે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *