ભારતીય ક્રિકેટ ફેન્સ માટે છેલ્લો અઠવાડિયો લાગાતાર મોટાં સમાચાર સાથે ભરેલો રહ્યો છે. પહેલા 7 મેના રોજ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી અને ત્યારબાદ 12 મેના રોજ વિરાટ કોહલીએ પણ પોતાના ટેસ્ટ કરિયરનો અંત જાહેર કર્યો. આ બંને દિગ્ગજોના નિર્ણયથી ભારતના ટેસ્ટ ક્રિકેટ ભવિષ્ય અંગે ચર્ચા ગરમ બની છે.
આ વચ્ચે કેટલાક મીડિયા હાઉસેઝે એવી ખોટી અફવા ફેલાવી કે મોહમ્મદ શમી પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે. આ ખોટી માહિતીથી શમી ખૂબ નારાજ થયો અને તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મારફતે સ્પષ્ટ જવાબ આપ્યો કે તેઓ હજુ નિવૃત્ત થયેલા નથી અને આવી ખોટી અફવાઓ ન ફેલાવવામાં આવે.
શમીનો તીખો પ્રહાર
મોહમ્મદ શમીએ પોતાની સ્ટોરીમાં લખ્યું: “મને મારા રિટાયરમેન્ટ વિશે ખબર નહિ અને તમારા જેવા ન્યૂઝ પોર્ટલ્સને મારી જગ્યાએ ખબર પડી ગઈ? લોકોના જીવ અને ઇમોશન્સ સાથે ન રમો. જો ખબર ન હોય તો દયા કરીને ખોટું છાપશો નહિ. મારા મોઢેથી બહાર ન આવ્યું હોય તો કંઈ પણ ન માનો.”







