આગામી 3 કલાકમાં 13 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી, તાપમાનમાં 2–3 ડિગ્રી ઘટાડાની શક્યતા

રાજ્યમાં માવઠાના માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે 13 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાથે જ આગામી 24 કલાક દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સાંજે 7 વાગ્યે જાહેર કરાયેલા વેધર અપડેટ અનુસાર અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને ગાજવીજ સાથે વાતાવરણ રહી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેવાની સંભાવના છે.

આગામી 24 કલાકનું અનુમાન
હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ બંને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. આ ઘટાડા બાદ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા ઓછી છે અને હવામાન સ્થિર રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, મોરબી અને જામનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદી માહોલ જોવા મળી શકે છે.

આજે નોંધાયેલ મહત્તમ તાપમાન (ડિગ્રી સેલ્સિયસ) :
સુરત – 37.4
મહુવા – 36.9
રાજકોટ – 36.3
ભુજ – 36.0
કેશોદ – 35.4
અમરેલી – 35.3
સુરેન્દ્રનગર – 35.3
ડીસા – 34.8
કંડલા પોર્ટ – 34.5
પોરબંદર – 34.4
વલ્લભ વિદ્યાનગર – 34.3
અમદાવાદ – 34.2
વડોદરા – 33.6
ગાંધીનગર – 33.5
નલિયા – 33.5
ભાવનગર – 33.4
વેરાવળ – 30.4
ઓખા – 29.8
દ્વારકા – 28.8

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

મહાકાલેશ્વર મંદિરમાં સંધ્યા-શયન આરતી માટે ₹250 ફી: ભક્તોમાં રોષ, રાજકારણ ગરમાયું

વિશ્વપ્રસિદ્ધ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના એક એવા શ્રી મહાકાલેશ્વર મંદિરમાં હવે સંધ્યા અને શયન આરતીમાં ભાગ લેવા માટે પ્રતિ વ્યક્તિ ₹250નું શુલ્ક અને ફરજિયાત ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા અમલમાં મૂકાતા ભક્તોમાં ભારે…

રાંચી-દિલ્હી ઉડાન ભરતું ખાનગી એર એમ્બ્યુલન્સ વિમાન ક્રેશ: જંગલમાંથી કાટમાળ મળતા તંત્ર સક્રિય

ઝારખંડમાં રાંચીથી દિલ્હી માટે ઉડાન ભરતું ખાનગી ચાર્ટર એર એમ્બ્યુલન્સ વિમાન ગાયબ થયું હોવાના સમાચાર આવ્યા છે. વિમાનમાં કુલ ૭ લોકો સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર, વિમાન રાંચીના બિરસા મુન્ડા…