પશ્ચિમ એશિયામાં વધતા તાણ અને ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત અને ઇઝરાઇલના નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત થઈ છે. ઇઝરાઇલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ભારતના પીએમ નરેન્દ્ર મોદીને મોડી રાતે ફોન કરી, જેમાં દ્વિપક્ષીય સહકાર, પ્રાદેશિક સુરક્ષા અને તાજેતરના પડકારો અંગે ચર્ચા કરવામાં આવી.
વાતચીતમાં પીએમ મોદીએ ટ્રમ્પના 20-પોઈન્ટ શાંતિ પ્રસ્તાવ માટે ભારતનું સંપૂર્ણ સમર્થન પુનઃઅભિવ્યક્ત કર્યું. તેમણે જણાવ્યું કે ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ, માનવીય રાહત અને શાંતિપૂર્ણ પુનર્નિર્માણ માટે આ યોજનાનું ઝડપી અમલ જરૂરી છે. ભારત હંમેશાં સંવાદ અને રાજદ્વારીક ઉકેલને પ્રાધાન્ય આપતું આવ્યું છે.
બેન્જામિન નેતન્યાહૂએ પ્રાદેશિક સુરક્ષા પરિસ્થિતિ પર નજર રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ભારત સાથે વ્યૂહાત્મક સહકાર ચાલુ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી. બંને નેતાઓએ ઉગ્રવાદ અને અસ્થીરતા અંગે ચિંતા વ્યક્ત કરી અને પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે સંમતિ આપી.
ફોન કૉલ દરમ્યાન ટ્રમ્પના 20 પોઈન્ટ શાંતિ પ્રસ્તાવના મુખ્ય મુદ્દાઓ પણ ચર્ચા કરવા આવ્યાં. આ પ્રસ્તાવ અનુસાર ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ લાગુ થશે, હમાસ-ઇઝરાઇલ વચ્ચે સંઘર્ષ બંધ થશે, અને હમાસે ઇઝરાયલી બંધકોને મુક્ત કરવાના રહેશે. આ સાથે ઇઝરાઇલ પણ કેટલાક ફિલિસ્તીની કેદીઓને મુક્ત કરશે. ગાઝાના પુનર્નિર્માણ માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની મદદ લેવામાં આવશે અને વિશેષ બોર્ડ ઓફ પીસની રચના કરી દેશ માટે દેખરેખ રાખાશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






