અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર થયેલી ભયાનક દુર્ઘટનાના મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે આજે, મંગળવારે, અંતે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ થવાના છે. આ અકસ્માતમાં નવ નિર્દોષ લોકોના કરૂણ મૃત્યુ થયા હતા, જેના કારણે સમગ્ર રાજ્યમાં શોક અને આક્રોશ ફેલાયો હતો.
લાંબા સમયથી કેસ ચાલી રહ્યો હોવા છતાં, દસથી વધુ વખત ચાર્જફ્રેમની કાર્યવાહી મુલતવી રહી હતી. મૃતકોના પરિવારો તથા વકીલોએ વારંવાર વિનંતી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કર્યો હતો અને ટ્રાયલ કોર્ટને ત્રણ અઠવાડિયામાં ચાર્જફ્રેમ કરવાની સુચના આપી હતી.
સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવે કાર્યવાહી ઝડપી બની રહી છે. આજે તથ્ય પટેલને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના વિરુદ્ધ કાયદેસરના ગુનાઓ અંતર્ગત સત્તાવાર રીતે ચાર્જફ્રેમ કરવામાં આવશે.
ચાર્જફ્રેમ થવાની પ્રક્રિયા બાદ કેસની ટ્રાયલ શરુ થશે અને વર્ષોથી અટકેલી ન્યાય વ્યવસ્થામાં આગળ વધારાની આશા જાગશે. તથ્ય પટેલ પર બેફામ અને પૂરઝડપે વાહન ચલાવીને નવ લોકોના જીવનને જોખમમાં મૂકી મારક અકસ્માત સર્જવાનો ગંભીર આરોપ છે.
સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપને કારણે હવે આ હાઈ-પ્રોફાઇલ કેસમાં ઝડપી ટ્રાયલની શક્યતા વધી છે અને મૃતકોના પરિવારોને ન્યાય મળવાની આશા મજબૂત બની છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






