IND vs ENG: કોહલી-જૈસવાલ નહીં, રોહિતે આ ક્રિકેટરને દુનિયાનો શ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો

ભારતે ઇંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં શાનદાર વિજય મેળવ્યો. ભારતે ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું. રોહિત શર્માએ ભારતની જીતમાં ઇતિહાસ રચ્યો અને તેના વનડે કારકિર્દીની 32મી સદી ફટકારી. રોહિતને ૧૧૯ રનની શાનદાર ઇનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો. રોહિત ઉપરાંત શુભમન ગિલે 65 રન અને શ્રેયસ ઐયરે 44 રન બનાવ્યા. આ ઉપરાંત અક્ષર પટેલે ૪૧ રનની અણનમ ઇનિંગ રમી, જેના આધારે ભારતીય ટીમે ૪૫મી ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું.

આપને જણાવી દઈએ કે, ભારતીય ટીમે ODI શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવવામાં સફળતા મેળવી છે. ભારતની જીત પછી, રોહિતે શુભમન ગિલની ખૂબ પ્રશંસા કરી. કેપ્ટન રોહિત અને ગિલે પ્રથમ વિકેટ માટે ૧૩૬ રનની ભાગીદારી કરી જેણે જીતનો પાયો નાખ્યો. રોહિતે ગિલને વિશ્વનો શ્રેષ્ઠ અને સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો છે.

હવે ભારતીય ટીમ 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં વનડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રોહિતની સદી ભારતીય ટીમ માટે ચોક્કસપણે રાહતની વાત છે. પરંતુ બીજી બાજુ, વિરાટ કોહલી ફરી એકવાર નિષ્ફળ ગયો છે. આ વખતે બીજી વનડેમાં આદિલ રશીદે કોહલીને પોતાનો શિકાર બનાવ્યો. કિંગ કોહલી ફક્ત 5 રન બનાવી શક્યો.

મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 304 રન બનાવ્યા હતા, ત્યારબાદ ભારતે 44.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું. રોહિતને તેની સદી બદલ પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

Related Posts

દ કેરલા સ્ટોરી- 2 નો મ્યુઝિકલ સરપ્રાઇઝ – દુર્ગા પૂજાની એક જ રાતમાં તૈયાર થયું ‘ઘૂમરગીત ’

ફિલ્મ  The Kerala Story -2 ના લોકપ્રિય બનતા ગીત ‘ઘૂમર’  પાછળનો અવાજ એટલે ગીતકાર  સાહિલ સુલતાનપુરી. આ દિવસોમાં તેઓ પોતાના સર્જન અને ફિલ્મને લઈને થયેલા વિવાદો વચ્ચે ચર્ચાના કેન્દ્રમાં છે.…

ગુજરાતમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: LPG બફર સ્ટોકમાં વધારો અને PNG ને પ્રાથમિકતા

ગાંધીનગર: રાજ્યમાં ઈંધણના પુરવઠાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સરકાર દ્વારા મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત આયોજિત પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ઘરેલુ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *