બેંક ખાતામાં કેટલાં રૂપિયા સુધી રોકડ જમા કરી શકો છો? જાણો નવા આવકવેરા કાયદા મુજબના નિયમો

જો તમે તમારા બેંક ખાતામાં મોટાપાયે રોકડ જમા કરો છો, તો તમારા માટે આવકવેરા વિભાગના નિયમો જાણવું અત્યંત જરૂરી છે. આવકવેરા અધિનિયમ 2025 મુજબ, રોકડ જમા અને ઉપાડને લઈને ચોક્કસ મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. નાણા ભંડોળની પારદર્શિતા જળવાઈ રહે તે માટે સરકાર કડક પગલાં લઈ રહી છે.

રોકડ થાપણ મર્યાદા – બચત અને ચાલુ ખાતા માટે અલગ નિયમો
– બચત ખાતા માટે મર્યાદા: ₹10 લાખ (એક નાણાકીય વર્ષમાં)
– ચાલુ ખાતા માટે મર્યાદા: ₹50 લાખ
જો આ મર્યાદા ઓળંગાય છે, તો બેંકો આ માહિતી આવકવેરા વિભાગને આપશે. હાંલांकि, આવી થાપણો પર તરત ટેક્સ લાગતો નથી, પરંતુ આવકના સ્ત્રોત અંગે સ્પષ્ટતા જરૂરી છે.

મહત્વની કલમો અને તેનો અર્થ
▶ કલમ 194N – રોકડ ઉપાડ પર TDS
₹1 કરોડથી વધુ ઉપાડે 2% TDS

જેોએ છેલ્લાં 3 વર્ષથી ITR ન ભરી હોય, તેમને ₹20 લાખથી વધુ ઉપાડે 2% અને ₹1 કરોડથી વધુે 5% TDS

▶ કલમ 269ST – રોકડ લેવડદેવડ મર્યાદા
કોઈ પણ વ્યક્તિ ₹2 લાખથી વધુ રોકડ સ્વીકારશે તો તે દંડ પાત્ર બનશે (પ્રત્યક્ષ લેવડદેવડ)

▶ કલમ 269SS / 269T – રોકડ લોન સંબંધિત નિયમો
₹20,000થી વધુની રોકડ લોન લેવી કે ચુકવવી કાયદેસર નથી, અન્યથા સમાન રકમનો દંડ

▶ કલમ 68 – આવકના સ્ત્રોતની પુષ્ટિ
જો તમારું રોકડ સ્ત્રોત સ્પષ્ટ ન હોય, તો 78% સુધીનો ટેક્સ અને દંડ લાગૂ થઈ શકે

વ્યવસાયિકો માટે ખાસ નોંધ
વ્યવસાય ધરાવતા લોકો માટે, જો રોકડ જમા કરાવેલી રકમ તેમના ડિકલેર કરેલા ટર્નઓવર સાથે મેળ ખાતી હોય, તો તેને ટેક્સનો ડર રહેતો નથી.જો રકમ વ્યવસાયથી અલગ છે, તો IT વિભાગ તપાસ કરી શકે છે.

શું કરવું જોઈએ?
– તમામ રોકડ લેવડદેવડ માટે યોગ્ય દસ્તાવેજો રાખો
– નિયમિત રીતે ITR ફાઇલ કરો
– કોઈ પણ મોટી રોકડ રકમ લઈ કે આપી રહ્યા હોવ તો CA ની સલાહ લો
– ખોટી માહિતી આપવી કે છુપાવવી ટાળો – ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે

 

Description : ઉપર આપેલ માહિતી અનુસરતા પહેલા CA અથવા વકીલની અને યોગ્ય જાણકાર વ્યક્તિની સલાહ લેવી

Related Posts

Ahmdabad માં Thomas Cook નું નવું સેન્ટર શરૂ: ગુજરાતના સુપરફાસ્ટ વધતા ટ્રાવેલ માર્કેટ પર કંપનીની નજર! Rapid Growth 2026

Ahmdabad માં Thomas Cookનું નવું સેન્ટર: ગુજરાતના વધતા ટ્રાવેલ માર્કેટ પર કંપનીની નજર, પ્રવાસીઓ માટે વધશે સુવિધા Ahmdabad  Thomas Cook Indiaએ અમદાવાદમાં નવી શોપ શરૂ કરી છે. ગુજરાતના વધતા ટ્રાવેલ માર્કેટને ધ્યાનમાં રાખીને કંપનીએ વિસ્તરણ કર્યું છે. જાણો પ્રવાસીઓને નવી શોપથી શું લાભ મળશે. Ahmdabad ના પ્રવાસન અને ટ્રાવેલ માર્કેટ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જાણીતી ટ્રાવેલ સર્વિસ કંપની Thomas Cook Indiaએ Ahmdabad નવી શોપ શરૂ કરી છે. ગુજરાતમાં વધતી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક પ્રવાસની માંગને ધ્યાનમાં રાખીને કંપની દ્વારા આ વિસ્તરણ કરવામાં આવ્યું છે. નવી શોપ શરૂ થવાથી Ahmdabad  તથા આસપાસના વિસ્તારોના પ્રવાસીઓને ટ્રાવેલ સંબંધિત વિવિધ સેવાઓ માટે વધુ સરળતાથી માર્ગદર્શન અને સહાય મળી શકશે.ગુજરાતમાંથી છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશ પ્રવાસ, ધાર્મિક પ્રવાસ, હનીમૂન, ફેમિલી હોલિડે…

NIA કોર્ટનો વ્યાપ વધ્યો: ગુજરાતમાં નવા બે કેન્દ્રોને સરકારની મંજૂરી.2026

ગુજરાતમાં બે નવી NIA કોર્ટને મંજૂરી: આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાના કેસોના ઝડપી નિકાલ માટે મોટું પગલું અમદાવાદ: દેશની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાતને વધુ એક મહત્વપૂર્ણ ભેટ મળી છે. કેન્દ્ર સરકારે રાજ્યમાં બે નવી વિશેષ NIA (National Investigation Agency) કોર્ટને મંજૂરી આપી છે. આ કોર્ટ શરૂ થયા બાદ આતંકવાદ, દેશવિરોધી પ્રવૃત્તિઓ, સંગઠિત ગુનાખોરી અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા કેસોની ઝડપી સુનાવણી અને સમયસર નિકાલ શક્ય બનશે. ગુજરાત પહેલેથી જ દેશના મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને સરહદી રાજ્યોમાંનું એક છે. રાજ્યના વ્યૂહાત્મક મહત્વને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે નવી NIA કોર્ટ શરૂ થતાં તપાસ એજન્સીઓ અને ન્યાયતંત્ર વચ્ચે વધુ સારી સંકલન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *