બેંક ખાતામાં કેટલાં રૂપિયા સુધી રોકડ જમા કરી શકો છો? જાણો નવા આવકવેરા કાયદા મુજબના નિયમો

જો તમે તમારા બેંક ખાતામાં મોટાપાયે રોકડ જમા કરો છો, તો તમારા માટે આવકવેરા વિભાગના નિયમો જાણવું અત્યંત જરૂરી છે. આવકવેરા અધિનિયમ 2025 મુજબ, રોકડ જમા અને ઉપાડને લઈને ચોક્કસ મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. નાણા ભંડોળની પારદર્શિતા જળવાઈ રહે તે માટે સરકાર કડક પગલાં લઈ રહી છે.

રોકડ થાપણ મર્યાદા – બચત અને ચાલુ ખાતા માટે અલગ નિયમો
– બચત ખાતા માટે મર્યાદા: ₹10 લાખ (એક નાણાકીય વર્ષમાં)
– ચાલુ ખાતા માટે મર્યાદા: ₹50 લાખ
જો આ મર્યાદા ઓળંગાય છે, તો બેંકો આ માહિતી આવકવેરા વિભાગને આપશે. હાંલांकि, આવી થાપણો પર તરત ટેક્સ લાગતો નથી, પરંતુ આવકના સ્ત્રોત અંગે સ્પષ્ટતા જરૂરી છે.

મહત્વની કલમો અને તેનો અર્થ
▶ કલમ 194N – રોકડ ઉપાડ પર TDS
₹1 કરોડથી વધુ ઉપાડે 2% TDS

જેોએ છેલ્લાં 3 વર્ષથી ITR ન ભરી હોય, તેમને ₹20 લાખથી વધુ ઉપાડે 2% અને ₹1 કરોડથી વધુે 5% TDS

▶ કલમ 269ST – રોકડ લેવડદેવડ મર્યાદા
કોઈ પણ વ્યક્તિ ₹2 લાખથી વધુ રોકડ સ્વીકારશે તો તે દંડ પાત્ર બનશે (પ્રત્યક્ષ લેવડદેવડ)

▶ કલમ 269SS / 269T – રોકડ લોન સંબંધિત નિયમો
₹20,000થી વધુની રોકડ લોન લેવી કે ચુકવવી કાયદેસર નથી, અન્યથા સમાન રકમનો દંડ

▶ કલમ 68 – આવકના સ્ત્રોતની પુષ્ટિ
જો તમારું રોકડ સ્ત્રોત સ્પષ્ટ ન હોય, તો 78% સુધીનો ટેક્સ અને દંડ લાગૂ થઈ શકે

વ્યવસાયિકો માટે ખાસ નોંધ
વ્યવસાય ધરાવતા લોકો માટે, જો રોકડ જમા કરાવેલી રકમ તેમના ડિકલેર કરેલા ટર્નઓવર સાથે મેળ ખાતી હોય, તો તેને ટેક્સનો ડર રહેતો નથી.જો રકમ વ્યવસાયથી અલગ છે, તો IT વિભાગ તપાસ કરી શકે છે.

શું કરવું જોઈએ?
– તમામ રોકડ લેવડદેવડ માટે યોગ્ય દસ્તાવેજો રાખો
– નિયમિત રીતે ITR ફાઇલ કરો
– કોઈ પણ મોટી રોકડ રકમ લઈ કે આપી રહ્યા હોવ તો CA ની સલાહ લો
– ખોટી માહિતી આપવી કે છુપાવવી ટાળો – ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે

 

Description : ઉપર આપેલ માહિતી અનુસરતા પહેલા CA અથવા વકીલની અને યોગ્ય જાણકાર વ્યક્તિની સલાહ લેવી

Related Posts

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, DA હવે 60%

રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વધતી મોંઘવારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા (DA)માં ૨ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે, જેનાથી લાખો કર્મચારીઓ…

સુરતમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નો ભવ્ય પ્રારંભ: મુખ્યમંત્રીએ એક્ઝીબિશનનું કર્યું ઉદ્ઘાટન

સુરત: ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે સુરતમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ઓરો યુનિવર્સિટી કેમ્પસ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *