અમદાવાદના ખાડિયા વિસ્તારમાંથી સામે આવી રહીેલી એક હૃદયદ્રાવક ઘટના સમગ્ર સમાજને હચમચાવી દીધું છે. અહીં 28 વર્ષની મોહિની પ્રજાપતિએ પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળી જીવનનું અંત લાવી દીધું. તેનું અંતિમ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેણે રડતી આંખે પોતાના તૂટેલા મન અને વ્યથિત જીવનની આખી કહાની કહી છે.
‘સાસરિયે મને અંદરથી તોડી નાંખી’:-
મોહિનીના વાયરલ થયેલા વીડિયોમાં તેણી સ્પષ્ટ રીતે કહી રહી છે કે પતિ, નણંદ અને સાસરિયાઓ દ્વારા નિયમિત ત્રાસ આપવામાં આવતો હતો. તેણી કહે છે કે, “મને કોઈ સમજતું નથી… મારો પતિ કંઈ જ વિચારતો નથી… બધા લોકો રોજ ત્રાસ આપે છે.” અંતે તો તેની નણંદે કહી દીધું હતું કે, “જો રિશ્તો તોડવો છે, તો પહેલા બાળક પેદા કરો, પછી છૂટાછેડા લઈ લેજો.”
શરમજનક શરત: પહેલા બાળક, પછી છૂટાછેડા:-
જ્યાં લગ્ન જીવન પ્રેમ અને સમજદારીથી ચાલવું જોઈએ ત્યાં આ પરિવારમાં મોહિની સામે ‘પહેલે બચ્ચા, પછી છૂટાછેડા’ જેવી શરમજનક શરત મૂકવામાં આવી. મોહિનીના પતિએ પણ એક સમયે કહ્યું હતું કે, “તું મને ગમતી નથી, મેં લગ્ન તો માતા-પિતાના કહ્યાથી કર્યા છે.”
જાન્યુઆરી 2022માં થયો હતો સાટાપાટાનો લગ્ન સમારંભ:-
મોહિનીના ભાઈ અને પતિના બહેન વચ્ચે પણ સાટાપાટાથી લગ્ન થયેલા. પણ લગ્નના થોડા જ મહિનાઓમાં સંબંધોમાં તણાવ આવવા લાગ્યો. પતિ ભરતે મોહિનીને પિયર મૂકી દીધા, છતાં સમાધાન બાદ તેણી ફરી સાસરી ગઈ — પણ ત્રાસ યથાવત રહ્યો.
અંતે ‘અંતિમ વીડિયો’ બનાવી આપઘાત:-
મોહિનીએ આ બધું સહન કર્યા બાદ સોશિયલ મીડિયા પર અંતિમ વીડિયો બનાવ્યો અને જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો. તેણે વીડિયોમાં પોતાની તકલીફો જણાવતી વખતે કહેલું હતું કે, “મને અંદરથી તોડી નાખ્યું છે… મેં હવે વિચાર્યું કે આ જીવન પૂરું કરવું પડે…”
પોલીસ તપાસ શરૂ, પરિવાર સામે ગુનો:-
ખાડિયા પોલીસે પતિ ભરત પ્રજાપતિ, સાસુ લક્ષ્મીબેન, જેઠ મોહન, દિયર હિતેશ અને નણંદ વિધ્યા સામે આત્મહત્યામાં દૂષિત વળગાવાનો ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસના દાયરામાં પરિવારજનોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને સાયબર ફોરેન્સિકથી પણ અંતિમ વીડિયોની છણાવટ કરવામાં આવશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






