જૂનાગઢ ભવનાથ મહાશિવરાત્રીના મેળાને લઈ હર્ષ સંઘવીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

જૂનાગઢમાં ગીરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન માટે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યાં હતા. આગામી તા. 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ મહાશિવરાત્રી મેળાને વધુ યાદગાર અને ભવ્ય બનાવવા માટે આ વર્ષે પ્રથમવાર સાધુ સંતોના નગર પ્રવેશ સાથે અલૌકિક નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 11 ફેબ્રુઆરીએ સાંજે તમામ સાધુ સંતોના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવા ભવ્યાતિભવ્ય નગરયાત્રા નીકળશે.

મહાશિવરાત્રી મેળા અંગે વિગતે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર મેળો બની રહેશે. જૂનાગઢમાં યોજાતા ‘મીની કુંભ’ મહાશિવરાત્રી મેળામાં પધારતા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓને આવકારવા વહીવટી તંત્ર સજ્જ છે. શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને દર વર્ષે રવેડી રૂટ 1.5 કિ.મી. નો હોય છે જેમાં 500 મીટરનો વધારો કરીને આ વર્ષે 2 કિ.મી કરવામાં આવ્યો છે, જેથી પવિત્ર નાગા સાધુઓની રવેડીના દર્શનનો મહત્તમ શ્રદ્ધાળુઓને લાભ મળી શકે.

નાયબ મુખ્યમંત્રી એ કહ્યું હતું કે, સરકાર દ્વારા આ વર્ષે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે. દર વર્ષે અંદાજે 1600 પોલીસ જવાનોને ફરજો સોંપવામાં આવે છે જેની સંખ્યા વધારીને આ વર્ષે 2900થી વધુ કરવામાં આવી છે. મેળામાં કોઈપણ અનીચ્છનીય બનાવ ન બને તે હેતુથી સમગ્ર વિસ્તારમાં CCTV કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત પાર્કિંગ, અવર જવરના રસ્તાઓ, રહેવાની સુવિધા માટે ડોર મેટરી જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

મેળાનું લાઈવ સ્ટ્રીમીંગ પણ થશે
રાજ્ય સરકારના ટૂરિઝમ વિભાગ દ્વારા સમગ્ર રૂટનું ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભન કરવામાં આવશે. જૂનાગઢ શહેરને પણ રોશનીથી શણગાર કરવામાં આવશે. સમગ્ર રૂટમાં અનેક સેલ્ફી પોઈન્ટ, ઈન્ફોર્મેશન સેન્ટર પણ મુકવામાં આવશે. આ ઉપરાંત શાહી સ્નાન સમયે મહાશિવરાત્રી મેળાનું લાઈવ સ્ટ્રીમીંગ પણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

1000 થી વધુ સ્થાનિક યુવાનોને વોલેન્ટિયર રહેશે
સંઘવીએ કહ્યું હતું કે, આ વર્ષે જૂનાગઢ પોલીસ દ્વારા પ્રથમવાર 1000 થી વધુ સ્થાનિક યુવાનોને વોલેન્ટિયર તરીકે જોડી મેળાની વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે. 300 થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ઉતારા અને ભોજન (પ્રસાદ)ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળાના રૂટ પર શુધ્ધ પીવાના પાણીની તથા સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ બેઠકમાં મહાશિવરાત્રી મેળા સંદર્ભે તૈયાર કરવામાં આવેલા ગીતનું પણ લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. ભવનાથના આંગણે યોજાતા ભક્તિ અને શ્રદ્ધાના આ પર્વમાં રાજ્ય સહિત દેશભરના સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓને સહભાગી થવા નાયબ મુખ્યમંત્રી એ નિમંત્રણ પાઠવ્યું છે. સાથે જ સ્થાનિક નાગરિકોને મેળામાં આવતા શિવભક્તોનું ઉમળકાભેર સ્વાગત કરવા અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા વિનંતી કરી છે.

આ બેઠકમાં યુવક સેવા અને સાંસ્કૃતિક રાજ્ય મંત્રી ડૉ.જયરામ ગામીત, સાધુ સંતો, જૂનાગઢ જિલ્લાના પદાધિકારી ઓ, યાત્રાધામ તેમજ પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારી ઓ સહિત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ahmedabad જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ, વિવિધ પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે કલેક્ટરની સૂચના Problem Shift 2026

Ahmedabad જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ, વિવિધ પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે કલેક્ટરની સૂચના Ahmedabad જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન Ahmedabad જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સંકલન સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેમનું સત્વરે અને હકારાત્મક રીતે નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને કલેક્ટર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. -> સંકલન બેઠકમાં વિવિધ પ્રશ્નો પર ચર્ચા  : જિલ્લા સંકલન સમિતિની બેઠકનો મુખ્ય હેતુ વિવિધ સરકારી વિભાગો વચ્ચે સંકલન વધારીને લોકોના પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવાનો રહ્યો હતો. બેઠક દરમિયાન શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોના પ્રાથમિક પ્રશ્નો ઉપરાંત માળખાકીય સુવિધાઓ સાથે સંકળાયેલા મુદ્દાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા.શહેરી…

Food poisoning : નર્મદાની આશ્રમશાળામાં એકસાથે 11 બાળકો ધુણવા લાગ્યા, હોસ્પિટલ ખસેડાયા; Food poisoningની આશંકા નકારી Shock Ripple

નર્મદાની આશ્રમશાળામાં એકસાથે 11 બાળકો ધુણવા લાગ્યા, હોસ્પિટલ ખસેડાયા; Food poisoningની આશંકા નકારી Food poisoning : નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મોસ્કુટ ગામની મહાત્મા ગાંધી આશ્રમશાળામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. શાળા સમય પૂર્ણ થયા બાદ એક બાળક અચાનક ધુણવા લાગ્યું હતું. ત્યારબાદ તેને જોઈને એક પછી એક અન્ય બાળકોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. કુલ આશરે 11 બાળકો ધુણવા લાગતાં આશ્રમશાળા પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં શાળા તંત્ર દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. -> એક બાળક બાદ બીજા બાળકોમાં પણ જોવા મળ્યા સમાન લક્ષણો : મળતી માહિતી પ્રમાણે ઘટના 9 સપ્ટેમ્બરે બની હોવાનું જણાવાઈ રહ્યું છે, જોકે તેની વિગતો હવે સામે આવી છે. શાળા પૂર્ણ થયા…