ગુજરાતમાં એપ્રિલમાં પણ માવઠું યથાવત્: ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત છતાં માવઠું હજુ યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ 2 એપ્રિલથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે.

2થી 4 એપ્રિલ દરમિયાન અસર
હવામાન વિભાગની આગાહી મુજબ 2થી 4 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

હવામાન ફેરફાર પાછળનું કારણ
પાકિસ્તાન અને રાજસ્થાન વિસ્તાર ઉપર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે.

આ જિલ્લાઓમાં વરસાદની સંભાવના
2 એપ્રિલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, કચ્છ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

ખેડૂતો માટે ચેતવણી
આ અનિશ્ચિત હવામાનને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લેવા અને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

પાકિસ્તાન ‘સ્માર્ટ લોકડાઉન’ની તૈયારી: ભારતના પાડોશી દેશમાં ઉર્જા સંકટ, સરકારઅંતિમ નિર્ણય લે તેવી તૈયારી

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પાકિસ્તાનમાં ઉર્જા અને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો ભારે અસરગ્રસ્ત થયો છે. હાલ પેકિસ્તાન સરકાર ‘સ્માર્ટ લોકડાઉન’ લગાવવાની તૈયારી કરી રહી છે, પરંતુ…

આંધ્રપ્રદેશમાં માલગાડી પલટી: મનુબોલુ–કૉમ્મારાપુડી વચ્ચે રેલવે ટ્રાફિક ખોરવાયો

આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં મનુબોલુ અને કૉમ્મારાપુડી રેલવે સ્ટેશન વચ્ચે આજે એક માલગાડી પલટી જવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાના કારણે વિજયવાડા, ચેન્નાઇ અને તિરુપતિ તરફ જતી અનેક ટ્રેન સેવાઓ…