રેલવે મુસાફરો માટે ખુશખબર: IRCTCએ ‘કોચ રિગ્રેટ’ સ્ટેટસ દૂર કર્યું, 3000 વધારાના કોચ ઉમેરાયા

દિવાળી પહેલા રેલવે દ્વારા મુસાફરો માટે મોટી રાહત આપવામાં આવી છે. તહેવારો દરમિયાન વધતી મુસાફરીની માંગને પહોંચી વળવા માટે ઉત્તર રેલવે દ્વારા ‘કોચ રિગ્રેટ’ સ્ટેટસ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. સાથે જ મુસાફરોની સુવિધા માટે 3000 વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે, જેનાથી 30 લાખ વધારાની બર્થ ઉપલબ્ધ કરાઈ છે.

શું છે કોચ રિગ્રેટ સ્ટેટસ?
હવે સુધી, જ્યારે ટ્રેનની તમામ સીટો ભરાઈ જાય, ત્યારે ‘રિગ્રેટ’ સ્ટેટસ બતાવવામાં આવતું હતું અને ટિકિટ બુકિંગ બંધ થતું. પણ હવે, વધારાના કોચ ઉમેરવાથી એ સ્થિતિમાંથી રાહત મળશે.

ટિકિટ તારીખ બદલી શકાશે – વધુ ચાર્જ નહિ!
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે – હવે કન્ફર્મ ટિકિટની તારીખ બદલવા પર કોઈ કેન્સલેશન ચાર્જ ન લગાશે. આ સુવિધા જાન્યુઆરી 2026થી IRCTC એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. જો મુસાફરોની યોજના બદલાય તો, તેઓ નવી તારીખ પસંદ કરી શકશે – જોકે, નવી તારીખે સીટ ઉપલબ્ધ હોવી જરૂરી રહેશે.

આ બદલાવથી શું થશે ફાયદા?
– તહેવારો દરમિયાન મુસાફરી સરળ અને સુલભ બનશે.
– લાંબી વેઇટિંગ યાદીઓથી રાહત.
– સમયસર મુસાફરીની યોજના બદલી શકાય તેવી સુવિધા.
– મુસાફરો માટે વધુ સીટ ઉપલબ્ધતા.

Related Posts

રિવરફ્રન્ટ હાઉસ ખાતે શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબહેન વાઘેલા દ્વારા ‘મોબિલિટી એક્ઝિબિશન’નું ઉદ્ઘાટન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શિફ્ટ ટ્રાન્સપોર્ટના સંયુક્ત ઉપક્રમે ‘અમદાવાદ નેક્સ્ટ’ અને ‘મોબિલિટી એક્ઝિબિશન’ કાર્યક્રમ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં રીવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાયો હતો. તા. 23 ફેબ્રુઆરી, 2026 સુધી…

ભારતમાં મંદિરો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે LeTના આતંકીઓ; એલર્ટ જારી

ગુપ્તચર એજન્સીઓએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત અનેક મોટા શહેરોમાં આતંકવાદી હુમલાની ચેતવણી જારી કરી છે. સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા અને…