Gandhinagar : ઉવારસદ ખાતે કરવામાં આવી રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી, ગ્રાહકો આપવામાં આવી આ માહિતી

24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ઉપલક્ષી આજે ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામમાં ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક કાંતિ ફાઉન્ડેશન અને સરપંચ શ્રી ઉવારસદ ગ્રામ પંચાયત તથા તમામ સભ્યશ્રીઓ તલાટી શ્રી અને ગ્રામજનો મળી રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવેલ છે

પ્રોગ્રામમાં સંસ્થાના બેનર પ્લે કાર્ડ સાથે તથા પત્રિકા વિતરણ કરી ગ્રામજનોને ગ્રાહકના અધિકારો બાબતે વિવિધ જાણકારી ફરિયાદના નિરાકરણ માટે કયા સંપર્ક કરવાનું રહે છે તે બાબતે વિગતવાર જાણકારી, જરૂરી હેલ્પલાઇન નંબર ,કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર બાબતે જાણકારી આપવામાં આવેલ છે. જિલ્લા મિશન રાજ્ય કમિશન તથા નેશનલ કમિશનના ગ્રાહકોને સ્પર્શતા વિવિધ ચુકાદાઓની ગ્રાહકો સમજી શકે તેવી ભાષામાં સમજણ પૂરી પાડી ગ્રાહકોને જરૂરી પુરાવા સાથે ફરિયાદ કરવા આગળ આવે અને તે પોતે જાગૃત થઈ છેતરતા બચે અને અન્ય ગ્રાહકોને પણ મદદરૂપ બની શકે તે માટે માર્ગદર્શન કરવામાં આવ્યું.

ગ્રામ્ય મહિલાઓ તથા ગ્રામ્ય કક્ષાએ કામ કરતા અન્ય સંસ્થાના પ્રતિનિધિ કાર્યકરો પણ આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં હાજર રહેલ ગ્રાહકોના અધિકાર બાબતે તથા ભેળસેળ કાળા બજારી સામે કેવી રીતે લડત આપવાની અને કઈ ઓથોરિટી પાસે જઈ ફરિયાદ કરવાની તે બાબતે જાણકારી આપી. કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનો દ્વારા જાણકારીના હેતુથી ઉભા કરી પૂછવામાં આવેલા પ્રશ્નના સંસ્થાના કાર્યકરો દ્વારા વિવિધ જાણકારી સાથે સંતોષ પરત જવાબ આપવામાં આવેલ અને ગ્રામ્ય મહિલાઓ આગળ ક્યારેય છેત્રાશે નહીં તેવા વચન વાયદા સાથે કાર્યક્રમનું સમાપન કરેલ.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…