Gandhinagar : રાજ્યમાં ગરમી પડવાની થઈ શરૂઆત, પવનોની દિશા બદલાતા તાપમાન વધશે

રાજ્યમાં આજથી ગરમી વધવાનું અનુમાન હવામાન વિભાગે કર્યુ છે.પવનોની દિશા બદલતા તાપમાન ઊંચકવાની શરૂઆત થઈ છે. હાલમાં તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું નોંધાઈ રહ્યું છે પરંતુ, ત્રણ દિવસ બાદ જે પ્રકારે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસના વધારાની આગાહી વ્યક્ત કરી છે, તે રીતે 40 ડિગ્રી કે તેનાથી પણ વધુ મહત્તમ તાપમાન કેટલાક જિલ્લાઓનું થઈ શકે છે. હાલમાં પશ્ચિમ તથા ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી પવન આવી રહ્યા છે, જેથી આગામી ત્રણ દિવસ તાપમાનમાં મોટા ફેરફાર થશે નહીં પરંતુ, ત્યારબાદ ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવનો ફૂંકાશે, જે ગરમ રહેશે તેને કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાન વધશે.

આ પણ વાંચો :- Gandhinagar : અસામાજીક તત્વોની દાદાગીરી હવે નહીં ચાલે, હર્ષ સંઘવીએ કહ્યું-કોઈ દંગા મચાવશે તો દાદાનું બુલડોઝર ફરશે

કયાં કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સૌથી વધુ તાપમાન મહુવામાં 38.2 ડિગ્રી,અમદાવાદમાં 37.5 ડિગ્રી, ગાંધીનગરમાં 37.4 ડિગ્રી,ડીસામાં 38.1 ડિગ્રી, વડોદરામાં 37 ડિગ્રી,સુરતમાં 36 ડિગ્રી, ભુજમાં 36.2 ડિગ્રી,અમરેલીમાં 36.8 ડિગ્રી, પોરબંદરમાં 35.2 ડિગ્રી, ભાવનગરમાં 35.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 37.3 ડિગ્રી,રાજકોટમાં 37.7 ડિગ્રી, કેશોદમાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો :- Gandhinagar : આજે ગુજરાત વિધાનસભાની બેઠક યોજાશે, વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા

ગરમીનો પારો ઉચકાયો :- રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજસ્થાન અને ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચે જતાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. રાજસ્થાનની દક્ષિણ પશ્ચિમે સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથેસાથે સમુદ્રની સપાટીથી પાંચ કિલોમીટરની ઉંચાઈએ સર્જાયેલ ટ્રર્ફને કારણે પણ ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો છે.ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *