અમરેલી નજીક મીતીયાળા અભયારણ્ય પાસે ભીષણ આગ, વન્યજીવો જોખમમાં

અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં આવેલ મિતિયાલા વન્યજીવન અભયારણ્ય નજીક આવેલા ડુંગર વિસ્તારમાં આજે ભીષણ આગ ફાટી નીકળતાં ચિંતા ફેલાઈ ગઈ છે. ખાંભાના નાનુડી ગામ પાસે બરસિયા ડુંગરમાં લાગેલી આ આગે આશરે 40 વિઘાથી વધુ રેવન્યુ જમીનને ભસ્મીભૂત કરી દીધી હોવાનું પ્રાથમિક અંદાજ છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણ કલાકથી આગ સતત ધગધગી રહી છે, છતાં તંત્ર તરફથી આગ પર કાબૂ મેળવવા માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. આગ ધીમે ધીમે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જાય છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ વિસ્તાર સિંહો સહિત અનેક વન્યપ્રાણીઓનું નિવાસસ્થાન ગણાય છે. એશિયાટિક સિંહ સહિતના પ્રાણીઓ માટે આ વિસ્તાર અત્યંત મહત્વનો છે. આગ અને ઘાટા ધુમાડાના કારણે વન્યજીવો અને પક્ષીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું છે, અને તેઓ સુરક્ષિત સ્થળોની શોધમાં દોડધામ કરી રહ્યા છે.

વિશેષ ચિંતા એ છે કે જો આ આગ મિતિયાલા વન્યજીવન અભયારણ્ય સુધી પ્રસરે, તો મોટી કુદરતી હોનારત સર્જાઈ શકે છે. વન્યજીવોના જીવને બચાવવા માટે તંત્ર તાત્કાલિક કામગીરી શરૂ કરે અને આગ પર જલ્દી કાબૂ મેળવે તેવી માંગ ઉઠી રહી છે.

સ્થાનિક લોકો અને વન્યજીવ પ્રેમીઓએ તંત્રની ઉદાસીનતા પર સવાલ ઉઠાવ્યા છે અને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવાની માંગ કરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 48 કલાકનો સમય આપ્યો, હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે તણાવ વધ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે 48 કલાકનો કડક સમય આપતા વૈશ્વિક તણાવ વધાર્યો છે. ટ્રમ્પએ જણાવ્યું કે તેમને પહેલેથી…

હોટલોમાં પનીરના નામે ‘એનાલોગ’ નહીં, રાજ્ય સરકારે જાહેર કર્યો કડક આદેશ

Food and Drug Control Administration (FDCA) દ્વારા રાજ્યના હોટલ, રેસ્ટોરન્ટ અને તૈયાર ખોરાકના વેપારીઓ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. હવે પનીરના નામે વેચાતા કોઈપણ ડુપ્લીકેટ પનીર અથવા એનાલોગ…