ઇન્દોરના ભેરુઘાટમાં ગમખ્વાર અકસ્માત : બસ અને કાર ખીણમાં પડી, 3 ના મોત

ઇન્દોર જિલ્લામાં મહુના ભેરુઘાટમાં સોમવારે રાત્રે લગભગ 9:40 વાગ્યે એક ગંભીર માર્ગ અકસ્માત થયો, જેમાં એક બસ અને કાર વચ્ચે ટક્કર થતા બંને વાહનો ઊંડી ખીણમાં ખસી ગયા. આ દુર્ઘટનામાં બે મહિલાઓ સહિત 3 મુસાફરોના મોત થયા છે, જ્યારે 13 મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોમાં સુરતના રિક્ષાચાલકનો પણ સમાવેશ થાય છે.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. લગભગ 30 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા, જેમાં કેટલાકને બસની બારી તોડીને બહાર કાઢવું પડ્યું. ઘાયલોને ઇન્દોરની MY હોસ્પિટલ અને મહુ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

મૃતકોમાં ઇન્દોરના તિલક નગરની પદ્માબાઈ (45), યુપીના દેવરિયાના રાહુલ (25) અને ઇન્દોરના ન્યૂ ગોરી નગરની અનિતા (40)નો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી, જ્યારે ઘાયલોને તબીબી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો.

અકસ્માતના પ્રાથમિક તપાસ અનુસાર, બસનો ડ્રાઈવર નશામાં હતો. ઘટનાની વિગતવાર તપાસ અને બચાવ કામગીરી હાલ પણ ચાલુ છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

નવરાત્રી ઘટસ્થાપન વિધિ: પહેલા દિવસે કળશ કેવી રીતે સ્થાપિત કરવો, સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન

ચૈત્ર નવરાત્રી 19 માર્ચથી શરૂ થાય છે, અને પ્રથમ દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. ઘટસ્થાપન કે કળશ સ્થાપના નવરાત્રીની શરૂઆતનું પ્રતીક છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પ્રથમ દિવસે યોગ્ય રીતે કળશ…

અમદાવાદ સહિત રાજ્યની 16 મહાનગરપાલિકાઓમાં ‘મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ-2026’નું ભવ્ય આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના કૃષિ વિભાગ હસ્તકના ગુજરાત એગ્રી ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા આગામી તા. 21 અને 22 માર્ચના રોજ રાજ્યવ્યાપી “મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નું ભવ્ય આયોજન…