હિંમતનગર હાઇવે પર ડમ્પરે મચાવ્યો કહેર, કરણપુર પાટીયા પાસે અકસ્માતમાં ગાડીઓનો કચ્ચરઘાણ

હિંમતનગરના કરણપુર પાટીયા નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બેફામ ગતિએ આવી રહેલા ડમ્પરે રોડ ક્રોસ કરીને હાઇવેની સાઈડમાં પાર્ક કરેલી ગાડીઓને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં આઠથી વધુ લક્ઝરી ગાડીઓને ભારે નુકસાન થયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, નજીકમાં સમૂહ લગ્નનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જેના કારણે મહેમાનોએ પોતાની ગાડીઓ હાઇવેના પટ્ટામાં પાર્ક કરી હતી. સદનસીબે અકસ્માત સમયે કોઈ વ્યક્તિ ગાડીમાં હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. જોકે આ ઘટનામાં બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતના પગલે હિંમતનગર–ગાંભોઈ હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો અને લાંબી વાહન કતારો જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં જ ગાંભોઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક હળવો કર્યો હતો અને વાહન વ્યવહાર ફરી પૂર્વવત કર્યો હતો.

ડમ્પર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો કે અન્ય કોઈ કારણસર અકસ્માત થયો હતો, તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. લગ્ન પ્રસંગની ખુશીમાં અચાનક બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

નળસરોવર પક્ષી ગણતરી 2026 સંપન્ન: 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની થઈ નોંધણી

પ્રવાસી પક્ષીઓના જતન અને સંરક્ષણ માટે વન વિભાગની સરાહનીય પહેલ 50 ઝોનમાં વહેંચાઈને 220 પક્ષીવિદોએ હાથ ધરી વસ્તી ગણતરી અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે…

વર્ષ 2026-27 માટે ખેડૂતો પાસેથી સરકાર કરશે ચણા અને રાઇની ટેકાના ભાવે ખરીદી , જાણો ક્યારે શરૂ થશે નોંધણી પ્રક્રિયા

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ 2026-27…