અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું: પોરબંદરથી 210 કિ.મી. દૂર સ્થિર, જાણો સમગ્ર વિગત

અરબી સમુદ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલી હવામાની સિસ્ટમ હવે વધુ શક્તિશાળી બની છે. હવામાન વિભાગ મુજબ, આ સિસ્ટમ હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે અને હાલ પોરબંદરથી આશરે 210 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ સ્થિર છે. આગામી દિવસોમાં તોફાની પવન અને વરસાદ માટે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ રાખવામાં આવ્યા છે.

ડિપ્રેશનનું સ્થાન અને ગતિ
2 ઓક્ટોબર, સવારે 11:30 કલાકે મળેલી માહિતી મુજબ ડિપ્રેશન નીચે આપેલા સ્થાનોએ નોંધાયું છે:
– પોરબંદરથી: 210 કિ.મી. પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ
– દ્વારકાથી: 210 કિ.મી. દક્ષિણપશ્ચિમ
– નલિયાથી: 290 કિ.મી. દક્ષિણ-દક્ષિણપશ્ચિમ
– કરાચીથી: 460 કિ.મી. દક્ષિણ
આ સિસ્ટમ આગામી ત્રણ દિવસ દરમિયાન મધ્ય અરબી સમુદ્ર તરફ દક્ષિણપશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા છે.

વરસાદ અને પવનની આગાહી
2થી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદની શક્યતા. 3 થી 5 ઓક્ટોબર દરમિયાન મધ્ય અને પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર વિસ્તારમાં 45-55 કિ.મી./કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા. ક્યારેક પવનની ઝડપ 65 કિ.મી./કલાક સુધી પહોંચી શકે છે.

દરિયાઈ સ્થિતિ અને માછીમાર માટે ચેતવણી
હવામાન વિભાગે માછીમારોને માટે ખાસ ચેતવણી આપી છે:
– 3 ઓક્ટોબર સુધી: ઉત્તરપૂર્વ અને ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રમાં દરિયાઈ સ્થિતિ તોફાનીથી અત્યંત તોફાની રહેવાની શક્યતા.
– 4 થી 5 ઓક્ટોબર: પશ્ચિમ મધ્ય અરબી સમુદ્રમાં પણ તોફાની સ્થિતિ યથાવત રહેશે.
– આથી માછીમારોને આ તમામ દિવસોમાં દરિયો ન ખેડવાની સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગ નજર રાખી રહ્યો છે
ભારતીય હવામાન વિભાગ (IMD) આ સિસ્ટમ પર સતત નજર રાખી રહ્યું છે અને નવી અપડેટ સાથે જનતાને સુચિત કરે છે. સ્થાનિક પ્રશાસન દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં નાગરિકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી રહી છે.

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓના PA-PS નિમણૂકની કરાઈ જાહેરાત, જુઓ યાદી

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓ માટે ખાતાની ફાળવણી બાદ હવે અંગત સચિવ (PA), અધિક અંગત સચિવ અને મદદનીશ સ્ટાફની નિમણૂક પણ કરી લેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી…

ગુજરાત બોર્ડે જાહેર કરી નવી પરીક્ષા તારીખો, ધૂળેટીના દિવસે યોજાનાર પેપરમાં મોટો ફેરફાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ધૂળેટીના દિવસે પરીક્ષા રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *