હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાતી પ્રવૃત્તિ વધતા ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે ચેતવણી જાહેર કરી છે. આગામી દિવસોમાં ચક્રવાતી તોફાન વધુ તીવ્ર બનવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
IMD ભુવનેશ્વરના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે 26 ઓક્ટોબર સુધીમાં બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડું સર્જાઈ શકે છે, જે 28 ઓક્ટોબરની સાંજે કે રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે કાકીનાડા નજીક, માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ કરશે.
તેમણે જણાવ્યું હતું કે હાલ પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં રચાયેલ ડિપ્રેશન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ હાલ ગોવાથી 450 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ અને મુંબઈથી 430 કિમી દક્ષિણપશ્ચિમમાં સ્થિત છે.
IMD અનુસાર, આગામી 24 કલાકમાં આ ડિપ્રેશન વધુ તીવ્ર બનશે, પરંતુ હાલ ભારતીય દરિયાકાંઠા પર તેની સીધી અસર થવાની શક્યતા નથી. છતાં પણ દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની આશંકાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયામાં ન જવાની કડક ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગે રાજ્ય પ્રશાસનોને તાત્કાલિક તૈયારી રાખવા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





