ચક્રવાત દિત્વાહ: 47 ફ્લાઇટ્સ રદ ટ્રેનો પણ બંધ; તમિલનાડુ–પુડુચેરીમાં હાઈ એલર્ટ, NDRF તૈનાત

ચક્રવાત દિત્વાહ આજે તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પાસે ખૂબ નજીક પહોંચી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર વાવાઝોડું આજે જ ભૂમિ પર ત્રાટકવાની શક્યતા છે. હાલમાં તોફાન “ચક્રવાતી તોફાન” સ્તરે છે અને વધુ મજબૂત થવાના કોઈ સંકેત નથી.

શ્રીલંકામાં ભારે વિનાશ
– દિત્વાહ ભૂમિ સ્પર્શ કરતાં પહેલાં શ્રીલંકાના પૂર્વ કિનારે ભારે તબાહી મચાવી હતી.
– અત્યાર સુધી 150 થી વધુ લોકોના મોત
– અનેક વિસ્તારોમાં વ્યાપક નુકસાન
– હજારો લોકો બેસહારા
– તમિલનાડુમાં રેડ અને ઓરેન્જ એલર્ટ

IMD એ રાજ્ય માટે ગંભીર ચેતવણીઓ જાહેર કરી છે:
– 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ
– 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
– કેટલાક શહેરોમાં પહેલેથી જ ભારે વરસાદ અને તીવ્ર પવન ફૂંકાઈ રહ્યા છે.
– IMD મુજબ, ચક્રવાત રવિવારે સવારે 50 કિમી અને સાંજે 25 કિમીના અંતરે દરિયાકાંઠાને સ્પર્શ કરી શકે છે.
– 47 ફ્લાઇટ્સ રદ, ટ્રેનોની સેવાઓ પણ અટકાવી

ચક્રવાતના વધતા પ્રભાવને કારણે:
– ચેન્નાઈ એરપોર્ટ પરથી 47 ફ્લાઇટ્સ રદ
– કેટલીક ટ્રેન સર્વિસિસ સ્થગિત, પરિવહન વ્યવસ્થા અસરગ્રસ્ત

NDRF–SDRF હાઈ એલર્ટ પર
– પરિસ્થિતિ ગંભીર બનતાં બચાવ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે.
– NDRFની 6ઠ્ઠી બટાલિયનની 5 ટીમોને વડોદરા (ગુજરાત)માંથી એરલિફ્ટ કરીને ચેન્નાઈ મોકલવામાં આવી
– ટીમો પુરબચાવ સાધનો અને CSSR ગિયર (બચાવ–રાહત માટે) સાથે સંપૂર્ણ સજ્જ
– SDRF અને સ્થાનિક પ્રશાસન પણ તૈનાત
– રાજ્ય સરકાર દ્વારા દરિયાકાંઠા નજીક રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ જવાનું અનુરોધ કરવામાં આવ્યું છે. માછીમારોને સમુદ્રમાં ન જવા ચેતવણી આપવામાં આવી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

BLO માટે સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, રાજ્ય સરકારોને કામનો ભાર ઘટાડવા અપિલ

બૂથ લેવલ ઓફિસર્સ (BLO) પર વધતા કામના ભાર અને તાજેતરમાં બનેલાં દુઃખદ બનાવોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારો તેમજ રાજ્ય ચૂંટણી પંચોને માનવતાવાદી…

અમેરિકા પોતે રશિયાથી યુરેનિયમ ખરીદે છે, તો ભારત પર આક્ષેપ કેમ? – પુતિનનો ટ્રંપને કટાક્ષ

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન બે દિવસીય ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે, અને આ મુલાકાત રશિયા–યુક્રેન યુદ્ધ પછીની પહેલી ભારત મુલાકાત હોવાથી વિશેષ મહત્વ ધરાવે છે. નવી દિલ્હીમાં આપેલા ઇન્ટરવ્યુમાં પુતિને…